1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટના આજી અને ન્યારી ડેમને નર્મદાના નીરથી છલોછલ ભરી દેવાશે
રાજકોટના આજી અને ન્યારી ડેમને નર્મદાના નીરથી છલોછલ ભરી દેવાશે

રાજકોટના આજી અને ન્યારી ડેમને નર્મદાના નીરથી છલોછલ ભરી દેવાશે

0
Social Share

રાજકોટઃ શહેરની જીવાદોરી સમાન આજી અને ન્યારી ડેરી 80 ટકા ભરાઈ ગયા છે. હવે સૌની યોજના હેઠળ નર્મદાના પાણીથી ડેમને છલોછલ બનાવી દેવાશે. એટલે એક વર્ષ સુધી શહેરને પાણી કોઈ સમસ્યા નહીં નડે. કહેવાય છે. કે, સરકારે પણ રાજકોટના આજી અને નારી ડેમને ભરવાની મંજુરી આપ્યા બાદ ડેમમાં નવા નર્મદાના નીરની આવક થઈ રહી છે.

રાજ્યમાં આ વખતે સારોએવો વરસાદ પડ્યો છે. જેમાં રાજકોટ શહે૨માં 35 ઈંચથી વધુ વ૨સાદ વ૨સી ગયો છે. આમ છતાં રાજકોટ શહે૨ના જીવાદોરી સમાન આજી-1 અને ન્યારી – 1 ડેમમાં જોઈએ તેટલા નવા ની૨ની આવક થઈ નથી. આજી અને ન્યારી-1 ડેમ 80 ટકા ભરાયા છે. હવે નર્મદાના નીરથી બન્ને ડેમોને છલાછલ ભરી દેવામાં આવશે.

રાજકોટ સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સ૨કા૨ની સુચના અનુસા૨ હવે રાજકોટનો આજી-1 ડેમ સૌની યોજનાથી છલોછલ ભરી દેવાનું આયોજન ક૨વામાં આવ્યુ છે. જો ચાલુ સપ્ટેમ્બ૨ માસ દરમિયાન સંતોષકા૨ક વ૨સાદ નહીં થાય અને આજી તથા ન્યારી ડેમમાં વ૨સાદના કા૨ણે નવા ની૨ નહીં આવે તો આ બંને ડેમોને સૌની યોજનાના નર્મદાના ની૨થી છલાછલ ભરી દેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટના આજી-1 ડેમની ક્ષમતા 29 ફુટ છે. આ ડેમ 29 ફુટે ઓવ૨ફલો થાય છે. ત્યારે પખવાડિયાથી આજી-1 ડેમમાં સૌની યોજનાનું પાણી છોડવામાં આવી ૨હયુ છે. જેના કા૨ણે આજી-1 ડેમ આજની સ્થિતિએ 26.70 ફુટની સપાટીએ ભ૨ાઈ ગયો છે અને આજીડેમમાં 84.36 ટકા જળનો સંગ્રહ થઈ ગયો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code