1. Home
  2. ગુજરાતી
  3. ભારતીય સેનાએ એક ખાસ ઉપકરણ વિકસાવ્યું, એક જ સમયે અનેક ટાર્ગેટને નષ્ટ કરી શકાશે
ભારતીય સેનાએ એક ખાસ ઉપકરણ વિકસાવ્યું, એક જ સમયે અનેક ટાર્ગેટને નષ્ટ કરી શકાશે

ભારતીય સેનાએ એક ખાસ ઉપકરણ વિકસાવ્યું, એક જ સમયે અનેક ટાર્ગેટને નષ્ટ કરી શકાશે

0
Social Share

નવી દિલ્હીઃ ભારતીય સેનાએ મોટી સિદ્ધિ હાસલ કરી છે. સેનાના એક મેજરે એવી ડિવાઈસનું નિર્માણ કર્યું છે જેની મદદથી એક જ સમયે કોઈ સ્થળોને બરબાદ કરી શકાશે. તેમજ આની મદદથી સેનાના જવાનોની સુરક્ષા પણ સુનિશ્ચિત થઈ શકશે. આ આવિષ્કારને પેટન્ટ પણ મળી ચુકી છે. ભારતીય સેનાએ નિવેદન જાહેર કરીને આ ઉપલબ્ધિની જાહેરાત કરી છે. ભારતીય સેનાના જણાવ્યા અનસાર, સેનાના કોપ્સ ઓફ એન્જિનીયર્સના મેજર રાજપ્રસાદ આરએસએ એક ડિસાઈસ બનાવ્યું છે. જેની મદદથી એક સાથે અનેક લક્ષ્યાંકોને બરબાદ કરી શકાશે. આ ડિવાઈસને પોર્ટેબલ મલ્ટી ટાર્ગેટ ડેટોનેશન ડિવાઈસ નામ આપવામાં આવ્યું છે. સેનાએ જણાવ્યું હતું કે, આ ડિવાઈસના પેટેંટ મળ્યા બાદ સેનામાં સામેલ કરવામાં આવશે.

દરમિયાન ભારતીય વાયુસેનાના લડાકુ અને પરિવહન વિમાનોએ બાપટલા જિલ્લાના અદંકી નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ 16 પર ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી (ઇલએફ) એરસ્ટ્રીપ પર કામગીરી હાથ ધરી હતી. એસયુ-30 અને હોક લડવૈયાઓએ સક્રિયતા દરમિયાન ઓવરશૂટ સફળતાપૂર્વક પાર પાડ્યા હતા, જ્યારે એએન-32 અને ડોર્નિયર પરિવહન વિમાનોએ ઉતરાણ કર્યું હતું અને ત્યારબાદ સ્ટ્રીપ પરથી ઉડાન ભરી હતી. આ સક્રિયતાએ જટિલ બહુમુખી પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઈ), જિલ્લા વહીવટીતંત્ર, રાજ્ય પોલીસ અને ભારતીય વાયુસેના જેવી નાગરિક એજન્સીઓ વચ્ચે ઉચ્ચ સ્તરીય સમન્વય અને સંપર્કનું પ્રદર્શન કર્યું હતું. આ પહેલા આવી સક્રિયતા 29 ડિસેમ્બર 2022ના રોજ આયોજિત કરાઈ હતી. 4.1 કિમી લાંબી અને 33 મીટર પહોળી કોંક્રિટની એરસ્ટ્રીપનું નિર્માણ ભારતીય વાયુસેના દ્વારા  પૂરા પાડવામાં આવેલા નિર્દેશો મુજબ એનએચએઆઈ દ્વારા કરવામાં આવ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code