1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આતુરતાનો અંતઃ અમદાવાદના નરોડાના રેલવે ઓવરબ્રિજને મહિનાના અંતમાં ખુલ્લો મુકાશે,
આતુરતાનો અંતઃ અમદાવાદના નરોડાના રેલવે ઓવરબ્રિજને  મહિનાના અંતમાં ખુલ્લો મુકાશે,

આતુરતાનો અંતઃ અમદાવાદના નરોડાના રેલવે ઓવરબ્રિજને મહિનાના અંતમાં ખુલ્લો મુકાશે,

0
Social Share

અમદાવાદઃ શહેરના નરોડા વિસ્તારના લોકો જેની ઘણા સમયની રાહ જોઈ રહ્યા છે. તેની આતૂરતાનો અંત આવશે. છેલ્લા ત્રણ વર્ષથી ઓવરબ્રીજ બનાવવાનું કામ ખૂબ ધીમી ગતિએ ચાલતું હતું. ઓવરબ્રીજ ચાલુ થાય તેની અહીના સ્થાનિક રહિશો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. હવે ઓવરબ્રીજ તેયાર થઈ ગયો છે, થોડુ કામ બાકી છે, તે 10 દિવસમાં પૂર્ણ કરવા સુચના આપી દેવામાં આવી છે, અને મહિનાના અંત પહેલા નરોડાના રેલવે ઓવરબ્રીજનું લોકાર્પણ કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના પૂર્વ વિસ્તારમાં નરોડા રેલવે ઓવરબ્રિજની કામગીરી છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહી છે જે હવે પૂર્ણ થવાના આરે છે. રેલવેના ભાગની કામગીરી જે બાકી હતી તે પૂર્ણ થઈ ગઈ છે અને હવે માત્ર પાંચથી દસ ટકા જેટલું કામ બાકી છે જે દસ દિવસમાં પૂરું થઈ જતા મે મહિનાના અંતમાં રેલવે ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્રણ વર્ષથી પૂર્વ વિસ્તારના લોકો જેઓ રાજસ્થાન અને હિંમતનગર તરફ જવા માટે ફરીને જવું પડતું હતું તેમની તકલીફ દૂર થશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતુ કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં અનેક બ્રિજની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં નરોડા રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી આ રેલવે ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી હતી. કોરોનાના કારણે તેમજ રેલ્વે તરફથી કેટલીક મંજૂરીઓ મોડી મળતાં રેલવેબ્રિજની કામગીરી બંધ થઈ હતી. રૂ.86 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા  800 મીટર લાંબા રેલવે ઓવરબ્રિજની કામગીરી હવે લગભગ પુરી થઈ ગઈ છે. બ્રિજના મધ્યભાગમાં રેલવેના પોર્શનનું કામ બાકી હતું જે પૂરું થઈ ગયું છે. ફક્ત રેલવેબ્રિજના હિસ્સામાં ડામરનું બીસી લેયર પાથરીને માસ્ટ્રિક પદ્ધતિથી રોડ બનાવવાનું કામ બાકી રહ્યું છે. જે 10 દિવસમાં જ પૂરું કરી દેવાશે. ત્યાર બાદ રેલવે ઓવરબ્રિજ લોકોપયોગી બની શકશે. આ વિસ્તારના હજારો લોકોની ત્રણ વર્ષ જૂની આતુરતાનો અંત આવશે. રેલવે ઓવરબ્રિજના એપ્રોચ રોડનો એક છેડો નરોડા-ગેલેક્સી સિનેમા તરફ અને બીજો છેડો નરોડા જીઆઇડીસી તરફ રખાયો છે. એટલે એક્સપ્રેસ હાઇવે, નરોડા, નરોડા પાટિયાના વાહનચાલકોને હિમતનગર તેમજ રિંગ રોડ તરફ જવાની અનુકૂળતા મળી રહેશે. એક અંદાજ પ્રમાણે આ રેલવે ઓવરબ્રિજથી દરરોજ આશરે 75 હજાર વાહનચાલકો લાભ થશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code