1. Home
  2. Tag "naroda"

અમદાવાદના નરોડા વિસ્તારમાં બે રાઉન્ડ ગોળીબાર, એક વ્યક્તિને ઈજા

અમદાવાદઃ ગુજરાતમાં ચોરી, હત્યા અને લૂંટ સહિતના ગંભીર ગુનામાં વધારો થયો છે. દરમિયાન આજે શહેરના નરોડા વિસ્તારમાં ગોળીબારની ઘટના બની હતી. જેના પગલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. બાઈક ઉપર આવેલા બે શખ્સોએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળીબારની આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. પ્રાપ્ત માહિતી […]

નરોડામાં SRPનો જવાન ચેઈન સ્નેચિંગ કરીને નાસવા જતાં રાહદારીઓએ પકડી પાડ્યો

અમદાવાદઃ શહેરના નરોડા વિસ્તારમાં સાંજના સમયે એસઆરપીનો એક જવાન ચેઇન સ્નેચિંગ કરતાં ઝડપાયો છે.  નરોડા પોલીસ સ્ટેશનની નજીકથી મહિલા  ચાલતી જતી હતી ત્યારે SRP ગ્રુપમાં ફરજ બજાવતો  જવાન બાઈક લઈ અને મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરી ભાગતો હતો. દરમિયાન મહિલાએ બૂમાબૂમ કરતા સામેથી એક પોલીસ કર્મચારી બાઈક લઈને આવીને આરોપીનો પીછો કરીને આરોપીના બાઈક સામે […]

અમદાવાદના નરોડામાં બનાવાશે ગુજરાતનો સૌથી લાંબો ત્રણ કિમી.લાંબો આધૂનિક ઓવરબ્રિજ

અમદાવાદઃ શહેરમાં વધતી જતી વસતી સાથે શહેરનો વ્યાપ પણ વધ્યો છે. સાથે ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે શહેરમાં વધુને વધુ ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. શહેરમાં એસજી અને એસપી રિંગ રોડ પરના ચાર રસ્તાઓ પર ઘણાબધા ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે. હવે  ટ્રાફિકથી કાયમ ભરચક રહેતા નરોડા પાટિયા રોડ પર ગુજરાતનો સૌથી લાંબો બ્રિજ બનાવાશે. આ […]

નરોડાના નવનિર્મિત રેલવે ઓવરબ્રીજના નામકરણના મુદ્દે દલિત સમાજ દ્વારા ધારાસભ્યનો ઘેરાવ

અમદાવાદઃ શહેરના નરોડા વિસ્તારમાં નવનિર્મિત રેલવે ઓવરબ્રીજના નામકરણને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ ઓવરબ્રિજનું  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્ઘાટન કરાશે. છેલ્લા એક મહિનાથી બે સમાજના સંતોના નામ પર બ્રિજને લઈને ચાલતા વિવાદ વચ્ચે  મંગળવારે નરોડા ખાતે આવેલી એક હોસ્પિટલની મુલાકાતે ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી આવ્યા હતા. ત્યાં દલિત સમાજની મહિલાઓ દ્વારા તેઓનો ઘેરાવ કરવામાં […]

આતુરતાનો અંતઃ અમદાવાદના નરોડાના રેલવે ઓવરબ્રિજને મહિનાના અંતમાં ખુલ્લો મુકાશે,

અમદાવાદઃ શહેરના નરોડા વિસ્તારના લોકો જેની ઘણા સમયની રાહ જોઈ રહ્યા છે. તેની આતૂરતાનો અંત આવશે. છેલ્લા ત્રણ વર્ષથી ઓવરબ્રીજ બનાવવાનું કામ ખૂબ ધીમી ગતિએ ચાલતું હતું. ઓવરબ્રીજ ચાલુ થાય તેની અહીના સ્થાનિક રહિશો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. હવે ઓવરબ્રીજ તેયાર થઈ ગયો છે, થોડુ કામ બાકી છે, તે 10 દિવસમાં પૂર્ણ કરવા […]

અમદાવાદના નરોડા રેલવે ઓવરબ્રિજની 3 વર્ષથી ધીમી ગતિએ ચાલતી કામગીરીથી સ્થાનિકો પરેશાન

અમદાવાદઃ શહેરમાં  મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા  અનેક જગ્યાએ રોડ, બિલ્ડિંગ અને બ્રિજ પ્રોજેક્ટની કામગીરી કરવામાં આવી રહી છે.  જેમાં નરોડા વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી નરોડા-ચિલોડા રેલવે ઓવરબ્રિજની કામગીરી ગોકળ ગાયની ગતિએ ચાલી રહી છે. બ્રિજ બનાવવાની કામગીરી મંથરગતિએ ચાલતી હોવાના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે વર્ષથી આ બ્રિજની કામગીરી કરવામાં […]

અમદાવાદના નરોડામાં તંત્રના વાંકે પીવાના પાણીની સમસ્યાથી લોકોમાં રોષ

અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં લોકો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારોમાં પુરતા વિકાસના કામો થતાં નથી અને જે થાય છે તે વિકાસના કામો ખૂબજ ધીમી ગતિએ ચાલી રહ્યા છે. પૂર્વના કેટલાક વિકસિત વિસ્તારોમાં ડ્રેનેજનો મુખ્ય પ્રશ્ન છે. નવી બનતી સોસાયટીઓમાં ખાળકૂવા ઊભરાવવા લાગ્યા છે. આ ઉપરાંત પીવાના પાણીનો પણ મુખ્ય પ્રશ્ન છે.નરોડામાં આદિશ્વરનગર વિસ્તારના […]

અમદાવાદમાં નરોડા વિસ્તારમાં વાહનચાલકો પાસેથી પૈસા પડાવતો નકલી પોલીસ પકડાયો

અમદાવાદઃ નકલી પોલીસ દ્વારા જાહેર રોડ પર ઊભા રહીને વાહનચાલકોને દમ મારીને રૂપિયા ઉગરાવવાના બનાવો વધી રહ્યા છે. આવો જ એક બનાવ નરોડા વિસ્તારમાં બન્યો હતો. જોકે અસલી પોલીસે ખાખી વર્ધીના સ્વાંગમાં વાહનચાલકો પાસેથી રૂપિયા ઉઘરાવતા નકલી પોલીસને ઝડપી લીધો હતો. નરોડા પોલીસે બાતમીના આધારે હંસપુરા બસ સ્ટેન્ડ પાસેથી નકલી પોલીસને પકડ્યો હતો .નરોડા પોલીસે […]

અમદાવાદના નરોડામાં ઈન્ક બનાવતી કંપનીમાં મધરાતે લાગી વિકરાળ આગઃ ત્રણ ફાયરમેનને ઈજા

અમદાવાદ : શહેરના  નરોડા વિસ્તારમાં આવેલ સૈજપુર બોઘા પાસે ઇન્ક બનાવતી કંપનીમાં મોડી રાતે આગ લાગી હતી. ભારે અફરાતરફી બાદ ફાયરની 30 ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો હતો. એક ખાનગી ઈન્ક બનાવતી  કંપનીમાં મધરાતે આગ લાગી હતી. આ ઘટનામાં ફાયર વિભાગનાં 3 જવાનો ઇજાગ્રસ્ત થયા હતા. શહેરના નરોડા સૈજપુર બોઘા રોડ પર શિવાય એન્કલેવ સામે  […]

અમદાવાદમાં નરોડાના એક બિલ્ડીંગમાં આગઃ કોવિડ હોસ્પિટલના દર્દીઓને SVPમાં ખસેડાયા

અમદાવાદઃ શહેરના નરોડા વિસ્તારમાં આવેલા સ્મશાન પાસેના એક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગતા ફાયરબ્રિગેડનો કાફલો દાડી આવ્યો હતો. કોમ્પ્લેક્સમાં કોરોનાની વેદાંત મલ્ટીસ્પેશિયલ્ટી હોસ્પિટલ પણ આવેલી છે, જેના લીધે દાડધામ મચી ગઈ હતી.. હાલ આગ કાબુમાં આવી ગઈ છે, કોઈ જાનહાનિ થઈ નથી. હોસ્પિટલના તમામ દર્દીઓને રેસ્ક્યુ કરી નીચે ઉતારી SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતા.આ બનાવને પગલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code