1. Home
  2. ગુજરાતી
  3. સૌરાષ્ટ્ર યુનિમાં નવી શિક્ષણ નીતિનો 2022-23થી અમલ કરાશે, વિદ્યાર્થીઓ પોતાની પસંદગીના વિષયો ભણી શકશે
સૌરાષ્ટ્ર યુનિમાં નવી શિક્ષણ નીતિનો 2022-23થી અમલ કરાશે, વિદ્યાર્થીઓ પોતાની પસંદગીના વિષયો ભણી શકશે

સૌરાષ્ટ્ર યુનિમાં નવી શિક્ષણ નીતિનો 2022-23થી અમલ કરાશે, વિદ્યાર્થીઓ પોતાની પસંદગીના વિષયો ભણી શકશે

0
Social Share

રાજકોટઃ રાજ્યની તમામ યુનિવર્સિટીઓ નવી શિક્ષણ નીતિ મુજબ અભ્યાસક્રમો શરૂ કરવાનું વિચારી રહી છે, ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 2022થી નવી શિક્ષણનીતિ અનુસાર સીબીએસસી મુજબ અભ્યાસ શરૂ કરવાની જાહેરાત કરી છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિની ઉચ્ચ શિક્ષણમાં અમલીકરણને લઈને વર્કશોપનું આયોજન કરાયું હતું જેમાં શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના સચિવ ડો. અતુલભાઈ કોઠારીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપકોથી લઈને કુલપતિ અને વિદ્યાર્થીઓને નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિથી વાકેફ કર્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે આ નીતિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ વર્ષ 2022-23થી લાગુ થશે અને કોઈ પણ ભવનનો વિદ્યાર્થી બીજા ભવનના વિષયો પણ ભણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. વિદ્યાર્થીઓને અત્યાર સુધી જે-તે કોર્સનું જ શિક્ષણ ભણી શકતા હતા પરંતુ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સ્વાયત્તતા આપવામાં આવી છે. જેમાં વિદ્યાર્થી પોતાના મુખ્ય વિષય સાથે ગમતો વિષય પણ ભણી શકશે. દા.ત સાયન્સનો વિદ્યાર્થી સંગીતનો વિષય પણ ભણી શકે, સાયન્સની સાથે સંસ્કૃત પણ રાખી શકે, ફિઝિક્સની સાથે ફિઝિકલ ડેવલોપમેન્ટ એટલે કે શારીરિક શિક્ષણ પણ રાખી શકે. એટલે વિદ્યાર્થીઓને વિષયની સ્વાયત્તતા ઘણી મળશે. જેથી તે વિદ્યાર્થીની રૂચિ, પ્રકૃતિ, વિશેષતા, આંતરિક ગુણનો પણ વિકાસ થઇ શકે. જે વિદેશોમાં હતું આપણે ત્યાં ન હતું પરંતુ હવે શરૂ થઇ રહ્યું છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે ઉચ્ચ શિક્ષણમાં આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ભારતીય ભાષા, પરંપરા, ચારિત્ર્ય નિર્માણ અને વ્યક્તિત્વ વિકાસની વાત કરી છે.પ્રોજેક્ટ વર્ક, વ્યવહારિક વર્ક, સ્કિલ ડેવલોપમેન્ટ સહિતની બાબતો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં છે. આજના શિક્ષણથી યુવાનો નોકરી મેળવવા જ પ્રયત્ન કરે છે. અને જે નોકર નથી બનતા તે બેકાર બને છે. પરંતુ યુવાનો પોતાના પગ ઉપર ઉભા થઇ શકે, ઉદ્યોગ સાહસિક બની શકે, પોતાના ઉદ્યોગ-ધંધા શરુ કરી શકે એવી ક્ષમતા ઉભી થાય એ પ્રકારના પ્રાવધાન કર્યા છે.

શિક્ષણનીતિમાં આટલા બદલાવ થશે, જેમાંયુનિવર્સિટીઓમાં એક્ટમાં પણ પરિવર્તન આવશે, નવો એક્ટ અમલી થશે, પાઠ્ય પુસ્તકોમાં પરિવર્તન આવશે, થીયરી કરતા પ્રેક્ટિકલને વધુ પ્રાધાન્ય અપાશે,વર્ષ 2025 સુધીમાં ઓછામાં ઓછા 50% છાત્રો વ્યવસાયિક શિક્ષણનો અનુભવ લેશે, બી.એડનો કોર્સ ચાર વર્ષનો ઇન્ટીગ્રેટેડ કરવામાં આવશે, તેમજ 60 ટકા શિક્ષણ ઓફલાઈન અને 40 ટકા શિક્ષણ ઓનલાઈન કરવામાં આવશે, તથા એમ.ફિલનો કોર્સ બંધ કરી દેવાશે.અને શિક્ષણમાં બે દિવસ ઓફલાઈન, બે દિવસ ઓનલાઈન અને એક દિવસ પ્રોજેક્ટ વર્ક-પ્રેક્ટીકલ કરાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code