1. Home
  2. ગુજરાતી
  3. આવતી કાલે પીએમ મોદી અયોધ્યા ખાતે લતા મંગેશકર ચોકના ઉદ્ધાટન સમારોહમાં વર્ચ્યુઅલ રીતે આપશે હાજરી
આવતી કાલે પીએમ મોદી અયોધ્યા ખાતે લતા મંગેશકર ચોકના ઉદ્ધાટન સમારોહમાં વર્ચ્યુઅલ રીતે આપશે હાજરી

આવતી કાલે પીએમ મોદી અયોધ્યા ખાતે લતા મંગેશકર ચોકના ઉદ્ધાટન સમારોહમાં વર્ચ્યુઅલ રીતે આપશે હાજરી

0
Social Share
  • આવતી કાલે અયોધ્યા ખાતે લતા મંગેશકર ચોકનું ઉદ્ઘાટન 
  • આ ઉદ્ધાટન સમારોહમાં પીએમ મોદી વર્ચ્યૂઅલ રીતે જોડાશે

લખનૌઃ- આવતી કાલે 28 સપ્ચેમ્બરના રોજ ઉત્તરપ્રદેશના અયોધ્યા ખાતે સંગીતની મહારાણી શુરોની  કોકિલા એવા સ્વર્ગવાસી લતામંગેશકરના નામના ચોકનો ઉદ્ધાટન સમારોહ યોજાનાર છે, લતાજીના  નામ પર રાખવામાં આવેલ સ્મૃતિ ચોકના આ ઉદ્ધાટન સમારોહમાં આવતી કાલે  સવારે 10:50 વાગ્યે શરૂ થશે અને 12:25 વાગ્યા સુધી ચાલશે. જેમાં પીએમ નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે જોડાશે જ્યારે અયોધ્યામાં સીએમ યોગી આદિત્યનાથ ક્રોસરોડ્સનું ઉદ્ઘાટન કરનાર છે.ઉદ્ઘાટન બાદ તમામ મહેમાનો રામકથા પાર્ક પહોંચશે. જ્યાં લતાજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે

આ સાથે જ કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી જી કિશન રેડ્ડી પણ લોકાર્પણ સમારોહમાં હાજરી આપશે. લતા મંગેશકર ચોકના ઉદ્ઘાટન સમારોહમાં તેમના ભત્રીજા આદિનાથ મંગેશકર અને પુત્રવધૂ કૃષ્ણા પણ ઉપસ્થિત રહેશે.  આ સહીત આ સમારોહમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસ અને રાજ્ય સરકારના સંસ્કૃતિ અને પર્યટન મંત્રી જયવીર સિંહ અને સંત-ધર્માચાર્ય પણ ઉપસ્થિત રહેશે.

આ પ્રસંગે અયોધ્યા શોધ સંસ્થાન દ્વારા પ્રકાશિત રામાયણના વૈશ્વિક જ્ઞાનકોશના 11 પુસ્તકોનું પણ વિમોચન કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનનો વીડિયો સંદેશ પણ પ્રસારિત કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code