કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ 21 જુને ગાંધીનગરમાં વેક્સિનેશન અને રથયાત્રા મુદ્દે ચર્ચા કરશે
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આગામી તારીખ 21જૂનને યોગ દિને ગાંધીનગર મુલાકાતે આવી રહ્યા છે .વિશ્વ યોગ દિવસના દિવસે ગાંધીનગર મહાનગરપાલિકા આયોજિત સેકટર 28 ની વસંતકુવરબા હાઇસ્કુલ પાછળના ખુલ્લા મેદાનમાં વૃક્ષારોપણ ના કાર્યક્રમમાં વચ્ર્યુઅલ હાજરી આપશે તેમજ સાંસદના આદર્શ ગામ તરીકે પસદં કરેલા પાલ અને કોલવડા સાથે વેક્સિનેશનના કાર્યક્રમમાં વિશેષ હાજરી આપશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર શહેર અને જિલ્લામાં વેક્સિનેશનની કામગીરી થોડીક ધીમી ચાલી રહી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં પહેલો ડોઝ લેનાર ૬.૨૧લાખ લોકો છે. ત્યારે બીજો ભાગ લેનારા ૧.૫૧ લાખ લોકો છે. વેક્સિનેશનની ખૂબ જ ધીમી કામગીરીને લઈને સાંસદ અમિત શાહ ગ્રામ્ય વિસ્તારની મુલાકાતે જઈ રહ્યા છે.
છેલ્લે અમિત શાહ ગાંધીનગરની મુલાકાતે આવ્યા ત્યારે કોલવડા આયુર્વેદ હોસ્પિટલમાં ઓકિસજન પ્લાન્ટનું લોકાર્પણ કયુ હતું .તેમજ ગાંધીનગરમાં બારસો બેડની કોવિડ હોસ્પિટલ મહાત્મા મંદિર ખાતે નિર્માણની જાહેરાત કરી હતી. આ હોસ્પિટલ તૈયાર થઈ ગયા પછી શાહ ગાંધીનગર આવી રહ્યા છે સંભવત: આ હોસ્પિટલની મુલાકાત કરે તેવી શકયતા અત્યારે જોવાઇ રહી છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને આ મુલાકાત દરમિયાન તેઓ જગન્નાથ મંદિરે દર્શન કરવા જવાની સાથે આગામી રથ યાત્રા અંગે પણ મહત્વના સંકેતો આપી શકે છે આ સિવાય તેઓ રાજકીય બેઠક પણ ખાનગી ધોરણે યોજે તેવી શકયતા છે.