1. Home
  2. ગુજરાતી
  3. લોથલમાં રાષ્ટ્રીય સમુદ્ર ધરોહર સંકુલ અને મેરીટાઈમ થીમ પર રિસોર્ટ બનાવાશે
લોથલમાં રાષ્ટ્રીય સમુદ્ર ધરોહર સંકુલ અને મેરીટાઈમ થીમ પર રિસોર્ટ બનાવાશે

લોથલમાં રાષ્ટ્રીય સમુદ્ર ધરોહર સંકુલ અને મેરીટાઈમ થીમ પર રિસોર્ટ બનાવાશે

0
Social Share

ગાંધીનગરઃ અમદાવાદ જિલ્લાના લોથલમાં રાષ્ટ્રીય સમુદ્ર ઘરોહર સંકુલનું નિર્માણ કરીને મેરી ટાઈમ થીમ પર રિસોર્ટ બનાવાશે. કેન્દ્રીય બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલય તેમજ સંસ્કૃતિ મંત્રાલયે ગુજરાતમાં લોથલ ખાતે રાષ્ટ્રીય સમુદ્રી ધરોહર સંકુલનું નિર્માણ કરવા માટે પારસ્પરિક સહયોગના ઉદ્દેશથી સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

કેન્દ્રીય બંદરો, જહાજ અને જળમાર્ગ રાજ્યપ્રધાન મનસુખ માંડવિયા અને કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્યપ્રધાન પ્રહલાદસિંહ પટેલ નવી દિલ્હીમાં પરિવહન ભવન ખાતે આ એમઓયુ પર હસ્તાક્ષર માટે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંબોધન કરતા મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, દેશમાં આ પ્રકારનું પ્રથમ નિર્માણ હશે જે ભારતના સમુદ્રી વારસા માટે સમર્પિત રહેશે જે ભારતની ભવ્ય અને વૈવિધ્યપૂર્ણ સમુદ્રી કિર્તી પ્રદર્શિત કરશે.

તેમણે જણાવ્યું હતું કે, આ કરાર પર હસ્તાક્ષર કરવાથી અને સાંસ્કૃતિક મંત્રાલય સાથે સહયોગથી આપણા દેશમાં એક જ જગ્યાએ દેશના મજબૂત સમુદ્રી ઇતિહાસ અને સમુદ્રકાંઠાની ધબકતી સંસ્કૃતિ બંનેને પ્રદર્શિત કરવાનું સુવિધાજનક બનશે અને તેનાથી આંતરરાષ્ટ્રીય મંચમાં ભારતના સમુદ્રી વારસાની છબી વધુ ઉન્નત થશે.

પ્રહલાદસિંહ પટેલે જણાવ્યું હતું કે, આપણે આ ખજાનાને એક જગ્યાએ સાથે મુકવાની જરૂર છે. આ કરાર અને સંગ્રહાલય દેશના સાંસ્કૃતિક વારસા પર પ્રકાશ પાડવામાં ઘણી મોટી ભૂમિકા નિભાવશે. તેમણે ઉમેર્યું હતું કે, આપણે આપણાં સાંસ્કૃતિક વારસાને આ સંગ્રહાલયના માધ્યમથી દુનિયા સમક્ષ રજૂ કરવા માટે અને તેની મહાનતાને રજૂ કરવા માટે સમર્થ બની શક્યા છીએ.

રાષ્ટ્રીય સમુદ્રી ધરોહર સંકુલ એક વિશ્વકક્ષાની સુવિધા રહેશે જેનું નિર્માણ ગુજરાતના અમદાવાદથી લગભગ 80 કિલોમીટર દૂર લોથલ ખાતે બને એ સાઇટની નજીકમાં કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળ તરીકે કરવામાં આવશે જ્યાં પ્રાચીનકાળથી લઇને અર્વાચિનકાળ સુધીના ભારતના સમુદ્રી વારસાને પ્રદર્શિત કરવામાં આવશે અને ભારતના સમુદ્રી વારસા વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને મનોરંજન સાથે જ્ઞાનપૂર્તિનો અભિગમ અપનાવવામાં આવશે.

આ પરિયોજનાનું નિર્માણ કરવા માટે, જમીનનું હસ્તાંતરણ કરવાની ઔપચારિકતાઓ પૂરી કરી દેવામાં આવી છે અને પર્યાવરણ અંગેની મંજૂરી સહિત જમીન સંબંધિત તમામ મંજૂરીઓ પણ આપી દેવામાં આવી છે. લગભગ 400 એકરના વિસ્તારમાં તેનું નિર્માણ કરવામાં આવશે જેમાં રાષ્ટ્રીય સમુદ્રી ધરોહર સંગ્રહાલય, લાઇટ હાઉસ સંગ્રહાલય, હેરિટેજ થીમ પાર્ક, સંગ્રહાલયની થીમ આધારિત હોટેલો અને મેરિટાઇમ થીમ આધારિત ઇકો રિસોર્ટ, મેરિટાઇમ ઇન્સ્ટિટ્યુટ વગેરે સહિત વિવિધ અનન્ય માળખાઓને સમાવી લેવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code