1. Home
  2. ગુજરાતી
  3. જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વેનો આદેશ કરનારા વારાણસી કોર્ટના ન્યાયમૂર્તિ પોતાની સુરક્ષાને લઈને ચિંતિત
જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વેનો આદેશ કરનારા વારાણસી કોર્ટના ન્યાયમૂર્તિ પોતાની સુરક્ષાને લઈને ચિંતિત

જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વેનો આદેશ કરનારા વારાણસી કોર્ટના ન્યાયમૂર્તિ પોતાની સુરક્ષાને લઈને ચિંતિત

0
Social Share

લખનૌઃ વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં કોર્ટના આદેશ બાદ આવતીકાલથી સર્વેની કામગીરી કરવામાં આવશે. દરમિયાન મસ્જિદમાં સર્વેની કામગીરીને લઈને ગુરુવારે આદેશ કરનારા વારાણસી કોર્ટના જજ રવિ કુમાર દિવાકરે પોતાના તથા પરિવારની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમજ કટ્ટરપંથીઓ દ્વારા તેમને હાની પહોંચાડવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

વારાણસી અદાલતના જજ રવિ કુમાર દિવાકરએ જણાવ્યું હતું કે, આ નિર્ણય બાદ તેમની આસપાસ ભયનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે અને તેઓ પોતાના પરિવારની સુરક્ષાને લઈને ખૂબ જ ચિંતિત છે. તેમણે કહ્યું કે સામાન્ય કોર્ટ કમિશનની કાર્યવાહીને અસાધારણ કેસ બનાવીને ભયનું વાતાવરણ સર્જાયું છે. હવે મને મારા પરિવારની પણ ચિંતા થાય છે. દિવાકરે કહ્યું કે ડર એટલો છે કે મારો પરિવાર હંમેશા મારી સુરક્ષાને લઈને ચિંતિત રહે છે અને હું તેમની સુરક્ષાને લઈને ચિંતિત છું. મારી પત્ની હંમેશા મારી સુરક્ષાને લઈને ચિંતિત રહે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વેની કામગીરીને લઈને વારાણસી અદાલતે નિર્દેશ કર્યો હતો. સમગ્ર મુદ્દે મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા અને સર્વેની કામગીરી ઉપર મનાઈ હુકમ ફરમાવવાની દાદ માંગી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે સર્વેની કામગીરી ઉપર મનાઈ હુકમ ફરમાવવામાં આવ્યો હતો.

(Photo-File)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code