1. Home
  2. ગુજરાતી
  3. પ.બંગાળના સીએમ મમતા બેનર્જી 27 મે એ યોજાનારી નિતી આયોગની બેઠકમાં હાજરી આપશે, અનેક સમસ્યાઓના મુદ્દા પર કરશે ચર્ચા
પ.બંગાળના સીએમ મમતા બેનર્જી 27 મે એ યોજાનારી નિતી આયોગની બેઠકમાં હાજરી આપશે, અનેક સમસ્યાઓના મુદ્દા પર કરશે ચર્ચા

પ.બંગાળના સીએમ મમતા બેનર્જી 27 મે એ યોજાનારી નિતી આયોગની બેઠકમાં હાજરી આપશે, અનેક સમસ્યાઓના મુદ્દા પર કરશે ચર્ચા

0
Social Share
  • નિતી આયોગની બેઠકમાં મમતા બેનર્જી હાજર રહેશે
  • રાજ્યને લગતી ,મસ્યાના મુદ્દા પર કરશે ચર્ચાઓ

દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં 27 મે ના રોજ નિતી આયોગની બેઠક યોજાવાની છે ત્યારે પશ્વિમ બંગાળની સીએમ મમતા બેનર્જી પણ રાજ્યની સમસ્યાઓના મુદ્દાઓને લઈને આ બેઠકમાં હાજરી આપતા જોવા મળશે.જાણકારી અનુસાર વિતેલા દિવસને સોમવારે આ બબાતે  નીતિ આયોગની બેઠકમાં ભાગ લેવા અંગે સીએમ બેનર્જીએ જાણકારી આપી હતી.

વધુ વિગત પ્રમાણે તેઓ એ બેઠકમાં રાજ્યની સમસ્યાઓને પ્રકાશિત કરતા જોવા મળશે અનેપ મુદ્દાઓને તેઓ સભ્યો આગળ રજૂ કરશે. મમતાજીએ દાવો કર્યો હતો કે અગાઉના આયોજન પંચે રાજ્યોને બોલવા અને સમસ્યાઓ ઉકેલવા માટે એક પ્લેટફોર્મ આપ્યું હતું, પરંતુ કેન્દ્ર નીતિ આયોગમાં ચર્ચા માટેનો એજન્ડા નક્કી કરે છે.

મમતા બેનર્જીએ એમ પણ જણાવ્યું હતું કે “હું આ બેઠકમાં હાજરી આપવા જઈ રહી છું, કારણ કે રાજ્યની સમસ્યાઓ કહેવા માટે આ સિવાય બીજું કોઈ મારા માટે શ્રેષ્ઠ પ્લેટફોર્મ નથી. જો કે વધુમાં તેમણે એમ પણ કટાક્ષ કર્યો છે ભલે પછી મને આ બેઠકમાં છેલ્લે કેમ સમય ફાળવાય.પણ હું અહી આ મુદ્દાઓ રજૂ કરીશ.

તેમણે જણઆવ્ભયું કે બેઠકના અંતે મને લ મને સાંજે બોલવાની તક આપવામાં આવે તો પણ હું આ બેઠકમાં ભાગ લેવા જઈશ  હું પશ્ચિમ બંગાળને લગતી ઘણી સમસ્યાઓ ઉઠાવતી રહી છું અને હું તેને અહીં બધાની સામે આ સમસ્યાઓ રજૂ કરીશ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code