1. Home
  2. ગુજરાતી
  3. કાશ્મીરમાંથી ભારત માત્ર 15 મિનિટ માટે આર્મી હટાવે પછી શું થાય છે જોવે, પાકિસ્તાનની ગર્ભિત ધમકી
કાશ્મીરમાંથી ભારત માત્ર 15 મિનિટ માટે આર્મી હટાવે પછી શું થાય છે જોવે, પાકિસ્તાનની ગર્ભિત ધમકી

કાશ્મીરમાંથી ભારત માત્ર 15 મિનિટ માટે આર્મી હટાવે પછી શું થાય છે જોવે, પાકિસ્તાનની ગર્ભિત ધમકી

0
Social Share

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષોથી કાશ્મીરને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ભારતે પીઓકે ખાલી કરી દેવા અનેકવાર પાકિસ્તાનને જાહેર મંચ ઉપરથી વિનંતી કરી છે. બીજી તરફ પીઓકેમાં છેલ્લા કેટલાક સમયથી મોંઘવારી અને પ્રાથમિક સુવિધાઓ મુદ્દે સ્થાનિકો આંદોલન કરી રહ્યાં છે અને રસ્તા ઉપર આવેલી પ્રજા સતત ભારતને સરહદ ખોલવા વિનંતી કરી રહ્યાં છે, એટલું જ નહીં પીઓકેમાં પાકિસ્તાની આર્મી અત્યાચાર ગુજારતી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યાં છે. કાશ્મીરમાંથી ભારત સરકારે આર્ટીકલ 370 દુર થયા બાદ પાકિસ્તાને યુએન સહિત અનેક મંચ ઉપર કાગારાડ મચાવી હતી. જો કે, કાશ્મીર ભારતનો આંતરિક અંગ હોવાનો અને આંતરિક મુદ્દામાં દખલગીરી નહીં કરવા પાકિસ્તાનને ચેતવતુ આવ્યું છે. તેમ છતા પાકિસ્તાનના નેતાઓ અને કેટલાક રાજકીય પંડિતો ભારત ઉપર ખોટા આક્ષેપ કરતા અચકાતા નથી. દરમિયાન પાકિસ્તાનના રાજકીય આગેવાને કાશ્મીરમાંથી માત્ર 15 મિનિટ માટે હથિયારધારી આર્મી હટાવવાની ગર્ભિત ધમકી આપી હતી. દરમિયાન ભારતની જાણીતી ધારાશાસ્ત્રી નાઝિયા ઈલાહી ખાને પાકિસ્તાની રાજકીય આગેવાનને આડે હાથ લઈને જળબાતોડ જવાબ આપ્યો હતો.

એક પાડોશી દેશને બીજા પાડોશી દેશ સાથે જે રીતે સંબંધો રાખવા જોઈએ, તે પ્રકારના સંબંધો ભારત અને પાકિસ્તાન વચ્ચે આઝાદી પછી જોવા મળ્યા નથી. તેની પાછળનું સૌથી મોટું અને મુખ્ય કારણ જમ્મુ-કાશ્મીરનો મુદ્દો છે. આ મુદ્દાને કારણે જ વર્ષ 1948માં ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ યુદ્ધ થયું હતું. જોકે એ યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. તાજેતરમાં જ પાકિસ્તાની મહિલા પત્રકાર આરઝૂ કાઝમીએ તેના ટોકિંગ શોમાં ભારતની નાઝિયા ઈલાહી ખાન અને પાકિસ્તાનના નિષ્ણાત ડૉ. ઈર્શાદ ખાન સાથે વાત કરી હતી. આ વાતચીત દરમિયાન પાકિસ્તાનના ઈર્શાદ ખાને જમ્મુ-કાશ્મીરને લઈને ભારતને પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું કે, જો ભારત સરકારમાં હિંમત હોય તો તે માત્ર 15 મિનિટ માટે કાશ્મીરમાંથી પોતાની સેના હટાવી લે. સેનાને હટાવ્યા પછી તમે જોશો કે, જમ્મુ-કાશ્મીરમાં ચારે બાજુ પાકિસ્તાની ઝંડા કેવી રીતે લહેરાતા જોવા મળશે.

એક ટોક શો દરમિયાન એક પાકિસ્તાની વિશ્લેષકે ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલી નાઝિયા ઈલાહીને પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે તમે (ભારત) તમારી બંદૂકધારી સેનાને માત્ર 15 મિનિટ માટે લાલ ચોકમાંથી હટાવી દો, ત્યાર બાદ કાશ્મીરના લોકો નારા લગાવશે કે કાશ્મીર બનશે પાકિસ્તાન.. જો આમ ન થાય તો હું માફી માંગીશ. ભારતે કાશ્મીર પર અત્યાચાર બંધ કરવો જોઈએ. અત્યાચાર બંધ થશે તો કાશ્મીર પાકિસ્તાન બની જશે. જો કે, આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ પાકિસ્તાની કાશ્મીરને લઈને આવી વાહિયાત વાત કરી હોય. આ પહેલા પણ પાકિસ્તાનના ઘણા નેતાઓ કાશ્મીરને લઈને ભારતને ધમકી આપી ચૂક્યા છે.

જ્યારે ઓગસ્ટ 2019માં ભારતે કાશ્મીરમાંથી કલમ 370 અને 35A હટાવી ત્યારે પાકિસ્તાનમાં હંગામો મચી ગયો હતો. તેમજ તેણે આ નિર્ણયને ખોટો ગણાવ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે આ અંગે બિનજરૂરી નિવેદનો શરૂ થયા હતા. જો કે, આના પર ભારતે પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે આ અમારો આંતરિક મામલો છે અને આ અંગે કંઈ ન બોલવું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code