1. Home
  2. ગુજરાતી
  3. વિશ્વ જળ દિવસ પ્રથમ વખત ક્યારે ઉજવવામાં આવ્યો? આ દિવસના મહત્વથી લઈને ઈતિહાસ સુધી બધું જાણો અહીં
વિશ્વ જળ દિવસ પ્રથમ વખત ક્યારે ઉજવવામાં આવ્યો? આ દિવસના મહત્વથી લઈને ઈતિહાસ સુધી બધું જાણો અહીં

વિશ્વ જળ દિવસ પ્રથમ વખત ક્યારે ઉજવવામાં આવ્યો? આ દિવસના મહત્વથી લઈને ઈતિહાસ સુધી બધું જાણો અહીં

0
Social Share
  • આજે વિશ્વ જળ દિવસ
  • પ્રથમ વખત ક્યારે ઉજવાયો આ દિવસ
  • મહત્વથી લઇને ઈતિહાસ સુધી અહીં જાણો બધું જ

તમે ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે,’જળ એ જ જીવન છે. માનવ અને પ્રાણીઓ માટે પાણી ખૂબ જ મહત્વપૂર્ણ છે.ખેતી કરવી, ઘરના કામકાજ કરવા, નાહવા, પીવા વગેરે.આ તમામ કામો માટે પાણી ખૂબ જ જરૂરી છે.અને એમાં પાણી જ ન હોત તો ?શું થાત.જો આપણે ભારતની વાત કરીએ તો આવા ઘણા શહેરો છે જ્યાં ઉનાળામાં પાણીની ઘણી અછત હોય છે.જ્યારે આગામી સમયમાં આ શહેરો માટે પણ ઘણું જોખમ છે.એટલું જ નહીં સમગ્ર વિશ્વ માટે પાણીની અછતનું સંકટ ગંભીર સમસ્યાના રૂપમાં ઉભું છે. એવામાં પાણીને કેવી રીતે બચાવી શકાય અને પાણીનું શું મહત્વ છે વગેરે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને દર વર્ષે 22 માર્ચે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો ચાલો તમને આ દિવસ વિશે વિગતવાર જણાવીએ.

શું છે આ દિવસનો ઇતિહાસ ?
જો આપણે વિશ્વ જળ દિવસના ઈતિહાસ વિશે વાત કરીએ તો બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં 1992ના દિવસે ‘યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસે જાહેરાત કરવામાં આવી હતી કે, વિશ્વ જળ દિવસ દર વર્ષે 22 માર્ચે ઉજવવામાં આવશે. તે જ સમયે, પ્રથમ વિશ્વ જળ દિવસ 22 માર્ચ 1993 ના રોજ ઉજવવામાં આવ્યો હતો.

આ દિવસની ઉજવણીનું શું છે મહત્વ ?
આપણે બધા જાણીએ છીએ કે,જે રીતે પૃથ્વીમાંથી પાણી ઝડપથી વહી રહ્યું છે.એવામાં તેને બચાવવા માટે કેટલાક પગલાં લેવામાં આવે તે જરૂરી છે, નહીં તો તે દિવસ દૂર નથી જ્યારે સમગ્ર વિશ્વ પાણીના સંકટ સામે ઝઝૂમતું જોવા મળશે.એટલા માટે આ દિવસને લોકોમાં જાગૃતિ ફેલાવવાના મહત્વ સાથે ઉજવવામાં આવે છે.

આ છે આ વર્ષની થીમ
જો આપણે આ વર્ષની 2022ની થીમ વિશે વાત કરીએ તો આ વર્ષની થીમ છે ‘ભૂગર્ભજળ: મેકિંગ ધ ઇનવિઝિબલ વિઝિબલ’. દર વર્ષે વિશ્વ જળ દિવસ માટે થીમ પસંદ કરવામાં આવે છે.

આપણે આ દિવસ કેવી રીતે ઉજવીએ છીએ?
વિશ્વ જળ દિવસ દર વર્ષે 22 માર્ચે ઉજવવામાં આવે છે, અને આ દિવસે વિવિધ સ્તરે ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.પ્રવચન, પરિષદો, સ્પર્ધાઓ વગેરે દ્વારા લોકોને પાણી બચાવવા સાથે તેના મહત્વ વિશે પણ જાગૃત કરવામાં આવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code