1. Home
  2. ગુજરાતી
  3. એસ્કેલેટરની બંને બાજુએ શા માટે લાગેલા હોય છે બ્રશ ? જાણો શું છે તેનું કારણ
એસ્કેલેટરની બંને બાજુએ શા માટે લાગેલા હોય છે બ્રશ ? જાણો શું છે તેનું કારણ

એસ્કેલેટરની બંને બાજુએ શા માટે લાગેલા હોય છે બ્રશ ? જાણો શું છે તેનું કારણ

0
Social Share
  • શોપિંગ મોલમાં એસ્કેલેટરનો ઉપયોગ
  • એસ્કેલેટરની બંને બાજુએ શા માટે હોય છે બ્રશ
  • જાણો શું છે તેનું કારણ

શોપિંગ મોલમાં એસ્કેલેટરનો ઉપયોગ જરૂરથી કર્યો હશે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે,તેની બંને બાજુના બ્રશનું શું કામ છે.આ પ્રશ્ન પૂછવા પર મોટાભાગના લોકો કદાચ જવાબ આપશે કે,તે એસ્કેલેટર સાફ કરવાનું કામ કરતા હશે, પરંતુ તેનું વાસ્તવિક કામ કંઈક બીજું છે. જાણો તે શું કરે છે…

અહેવાલ મુજબ,એસ્કેલેટરમાં પીળી બોર્ડરની નજીક બ્રશ છે.આ પીળા રંગનો અર્થ એ છે કે,એસ્કેલેટર પર ચઢતી વખતે તમારા પગને આ નિશાનથી દૂર રાખો.હવે ચાલો સમજીએ કે બ્રશનું કાર્ય શું છે.બંને બાજુનું બ્રશ માનવ કપડાં અને અન્ય પાતળી વસ્તુઓને એસ્કેલેટરમાં અટવાતા અટકાવે છે.

રિપોર્ટ અનુસાર, એસ્કેલેટર પરના બ્રશ સેફ્ટી ફીચર તરીકે કામ કરે છે. આ બ્રશ ચેતવણી જેવું છે.સરળ ભાષામાં સમજીએ તો, તમારો પગ પીળા નિશાનને પાર કરીને તેની નજીક પહોંચે કે તરત જ આ બ્રશ કહે છે કે પગને દૂર રાખવાની જરૂર છે.

એસ્કેલેટરનો ઉપયોગ કરતી વખતે, ઘણા લોકો આ બ્રશથી જૂતા સાફ કરવાનો પ્રયાસ કરે છે.આવું કરવાથી બચો કારણ કે તેનાથી નુકસાન થઈ શકે છે.તેથી એસ્કેલેટરનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહો.

દેશમાં એવા ઘણા કિસ્સા સામે આવ્યા છે જ્યારે એસ્કેલેટરમાં કપડા ફસાઈ જવાને કારણે લોકો ઘાયલ થયા હોય.તેથી,આગામી વખતે જ્યારે પણ તમે એસ્કેલેટરનો ઉપયોગ કરો ત્યારે ધ્યાનમાં રાખો કે જૂતા અને એસેસરીઝને પીળા નિશાનથી દૂર રાખો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code