1. Home
  2. ગુજરાતી
  3. શું આલિયા ભટ્ટ બનશે રણબીર કપૂરની દુલ્હન ? જવાબમાં આલિયાની માતા સોની રાજદાએ આપ્યો કંઈક આવો જવાબ
શું આલિયા ભટ્ટ બનશે રણબીર કપૂરની દુલ્હન ? જવાબમાં આલિયાની માતા સોની રાજદાએ આપ્યો કંઈક આવો જવાબ

શું આલિયા ભટ્ટ બનશે રણબીર કપૂરની દુલ્હન ? જવાબમાં આલિયાની માતા સોની રાજદાએ આપ્યો કંઈક આવો જવાબ

0
Social Share
  • આલિયા અને રણબીરના લગ્નની અફવાઓ જોરશોરમાં
  • આલિયાની માતા સોની રાજદાને આપ્યું રિએક્શન

મુંબઈઃ છેલ્લા ઘણા સમયથી બોલિવૂડની ચુલબુલી ગર્લ આલિયા ભટ્ટ અને ચોકલેટી બોય રણબીર કપુરના અફેરની ચર્ચાઓ જોરશોરમાં ચાલી રહી છે, આ કપલ ઘણી વખત સાથે પણ જોવા મળ્યું છે,તેઓ સતત એકબીજાના સંપર્કમાં રહીને દર્શકોની અફવાોને હવા આપવાનું કામ કરે છે ત્યારે હવે,ફરી એક વખત તેમના લગ્નની ચર્ચાઓ એ જોર પકડ્યું છે.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બી-ટાઉનના સૌથી ક્યૂટ કપલ્સમાંથી એક છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે રણબીર અને આલિયા આવતા વર્ષે નવેમ્બરમાં જલ્દી જ લગ્ન કરવાના છે. હવે આ વાત આલિયાની માતા સોની રાઝદાનની પ્રતિક્રિયા સામે આવી છે.

સોની રાઝદાને ‘બોલિવૂડલાઈફ’ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ લગ્ન ક્યારે થશે તે વિશે તેને કંઈ જ ખબર નથી. અન્યની જેમ તે પણ આ લગ્નની રાહ જોઈ જ રહી છે. જો કે, સારા સમાચાર આપતાં તેમણે ધ્યાન દોર્યું કે લગ્નમાં હજુ થોડો સમય બાકી છે. બંને ફ્યૂચરમાં લગ્ન કરવા માટે તૈયાર છે, પરંતુ મને એ પણ ખબર નથી કે તેઓ ક્યારે આમ કરશે. ક્યારે. જ્યારે પણ આલિયા દુલ્હન બનશે ત્યારે તમને તેના એજન્ટનો ફોન આવશે, પરંતુ અત્યારે કંઈપણ કહેવું મુશ્કેલ છે.

ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર 2018 થી એકબીજાને ડેટ કરી રહ્યા છે. તાજેતરમાં, તેમની સગાઈની અફવાઓ જોરશોરમાં ચાલી હતી, જેને બંનેના પરિવારે નકારી કાઢી હતી. હવે બંનેના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેઓ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળવાના છે. આ ફિલ્મમાં આલિયા, રણબીર કપૂર અને અમિતાભ બચ્ચન લીડ રોલમાં છે.આ ફિલ્મ દ્વારા રણબીર અને આલિયા પહેલીવાર સાથે કામ કરવા જઈ રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code