1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હીના કાલકાજી આવાસની લાભાર્થી મહિલાઓએ પીએમ મોદીને પત્ર લખી માન્યો આભાર,જાણો શું હતું આ પાછળનું કારણ
દિલ્હીના કાલકાજી આવાસની લાભાર્થી મહિલાઓએ પીએમ મોદીને પત્ર લખી માન્યો આભાર,જાણો શું હતું આ પાછળનું કારણ

દિલ્હીના કાલકાજી આવાસની લાભાર્થી મહિલાઓએ પીએમ મોદીને પત્ર લખી માન્યો આભાર,જાણો શું હતું આ પાછળનું કારણ

0
Social Share

દિલ્હી:રાજધાની દિલ્હીની ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ લોકોને ‘જહાં ઝુગ્ગી વહાં મકન’ હેઠળ ફ્લેટ આપવામાં આવી રહ્યા છે. દિલ્હીના કાલકાજીમાં આવા 3 હજારથી વધુ ફ્લેટ બનાવવામાં આવ્યા છે. આ ફ્લેટની ચાવી ગરીબ લાભાર્થીઓને સોંપવામાં આવી રહી છે. કાયમી મકાન મળતા લાભાર્થી મહિલાઓ ખૂબ જ ખુશ છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને તેમનો આભાર વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ આવા કેટલાક પત્રો શેર કર્યા છે

વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ આજે ટ્વીટ કર્યું કે દિલ્હીના કાલકાજી વિસ્તારમાં ‘જહાં ઝુગ્ગી વહાં મકાન’ યોજના હેઠળ પાકાં મકાનો ફાળવવામાં આવેલા લાભાર્થીઓ દ્વારા તેમને લખેલા પત્રોથી તેઓ અભિભૂત થયા છે.

મહિલાઓએ આ પત્રો વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરને આપ્યા, જેમણે તેમની મુલાકાત લીધી હતી. લાભાર્થીઓએ તેમની ખુશી વ્યક્ત કરી અને આ યોજના દ્વારા તેમનું સ્વપ્ન સાકાર કરવામાં અને તેમનું જીવન સરળ બનાવવામાં મદદ કરવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો.

વડાપ્રધાનએ ગરીબોના કલ્યાણ માટે કામ કરવાનું ચાલુ રાખવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

વડાપ્રધાનએ ટ્વીટ કર્યું:”જહાં ઝુગ્ગી વહી મકાન’ યોજના હેઠળ પાકાં મકાનો મેળવનાર દિલ્હીના કાલકાજીની માતાઓ અને બહેનોના પત્રો મેળવીને અભિભૂત થયો છું. જ્યારે EAM @DrSJaishankar જી ત્યાં ગયા, ત્યારે મહિલાઓએ આ પત્રો આપ્યા, જેમાં તેઓએ પોતાની ખુશી વ્યક્ત કરી. તેઓ જણાવે છે કે આ યોજના દ્વારા તેમનાં વર્ષો જૂનું સ્વપ્ન કેવી રીતે સાકાર થયું છે અને સમગ્ર પરિવારનું જીવન સરળ બન્યું છે. પત્રો માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર! અમારી સરકાર ગરીબોના કલ્યાણ માટે કામ કરી રહી છે. પ્રતિબદ્ધતા સાથે કામ કરતી રહેશે. ”

પીએમ મોદીએ શેર કરેલા પત્રોમાં કુસુમ લતા, ચેતના, રેશ્મા અને કાકોલી મૈઈત્રાના પત્રોનો સમાવેશ થાય છે. કુસુમ લતાએ લખ્યું, મને અને મારા બાળકોને મારા માથા પર છત આપવા માટે મારા હૃદયથી આભાર. કાકોલીએ લખ્યું, આભાર મોદીજી, તમે અમને ઝૂંપડપટ્ટીને બદલે ઘર આપ્યું અને મફત વેક્સીન આપી.

નવેમ્બર 2022 માં પીએમ મોદીએ ‘ઇન-સીટુ સ્લમ રિહેબિલિટેશન પ્રોજેક્ટ’ હેઠળ ઝૂંપડપટ્ટીના રહેવાસીઓના પુનર્વસન માટે દિલ્હીના કાલકાજીમાં બાંધવામાં આવેલા 3024 ફ્લેટનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ લાભાર્થીઓને ફ્લેટની ચાવીઓ પણ આપી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code