1. Home
  2. ગુજરાતી
  3. વારાણસી અને કાનપુર સહિત 30 એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, હાઈએલર્ટ જાહેર કરાયું
વારાણસી અને કાનપુર સહિત 30 એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, હાઈએલર્ટ જાહેર કરાયું

વારાણસી અને કાનપુર સહિત 30 એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, હાઈએલર્ટ જાહેર કરાયું

0
Social Share

લખનઉઃ દેશમાં હાલ લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરમિયાન દેશના 30 જેટલા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈ-મેલ મળતા વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે. સુરક્ષા એજન્સીઓએ એરપોર્ટ ઉપર તપાસ કરી હતી પરંતુ કંઈ વાંધાજનક મળી આવ્યું ન હતું. જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પોલીસે ધમકી ભર્યો ઈ-મેલ મોકલનારને શોધી લેવા કવાયત શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જયપુર, નાગપુર, કાનપુર અને યુપીના વારાણસી સહિત દેશના 30 એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાનું જાણવા મળે છે. વારાણસી એરપોર્ટના ડાયરેક્ટર પુનીત ગુપ્તાને ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. એમાં કહેવામાં આવી રહ્યું છે કે, દેશના 30 એરપોર્ટ પર બોમ્બ મૂકવામાં આવ્યા છે અને બટન દબાવતા જ ત્યાં વિસ્ફોટ થશે. ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પોલીસ અને CISFના જવાનો પણ વારાણસી એરપોર્ટની આસપાસના ગામડાઓમાં પગપાળા કૂચ કરી રહ્યા છે. વહીવટી સ્તરે વરિષ્ઠ અધિકારીઓએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે, જેમાં સુરક્ષા એજન્સીઓ સાથે જોડાયેલા લોકો વ્યૂહરચના બનાવી રહ્યા છે. તેમજ આ ધમકીભર્યો મેઈલ મોકલનાર વ્યક્તિની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

CISFના વરિષ્ઠ કમાન્ડન્ટ અજય કુમારે કહ્યું કે, મેલમાં વારાણસી સહિત દેશના 30 એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ પાગલનું કામ હોઈ શકે છે. IB અને LIUને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. કાનપુરના એડિશનલ પોલીસ કમિશનર લો એન્ડ ઓર્ડર હરીશ ચંદર અને ચકેરી એરપોર્ટ ડાયરેક્ટર સંજય કુમારે આ સંબંધમાં માહિતી હોવાનો ઇનકાર કર્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code