1. Home
  2. ગુજરાતી
  3. ભારતમાં કોરોના સંક્રમણ બેકાબૂ થવાથી વિશ્વ ચિંતિત, આ દેશે લીધો આ મોટો નિર્ણય
ભારતમાં કોરોના સંક્રમણ બેકાબૂ થવાથી વિશ્વ ચિંતિત, આ દેશે લીધો આ મોટો નિર્ણય

ભારતમાં કોરોના સંક્રમણ બેકાબૂ થવાથી વિશ્વ ચિંતિત, આ દેશે લીધો આ મોટો નિર્ણય

0
Social Share
  • ભારતમાં કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે હોંગકોંગે લીધો મોટો નિર્ણય
  • હોંગકોંગે ભારતથી આવતી અને જતી ફ્લાઇટ્સ પર 20 એપ્રિલથી 3 મે સુધી રોક લગાવી
  • હોંગકોંગની સરકારે ભારત ઉપરાંત પાકિસ્તાન, ફિલિપાઇન્સથી આવતી ફ્લાઇટ્સ ઉપર પણ રોક લગાવી

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે હોંગકોંગે મોટો નિર્ણય લીધો છે. હોંગકોંગે ભારતથી આવતી અને જતી ફ્લાઇટ્સ પર 20 એપ્રિલથી 3 મે સુધી રોક લગાવી છે. હોંગકોંગ સરકારે વધતા સંક્રમણના પગલે આ નિર્ણય લીધો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, હોંગકોંગની સરકારે ભારત ઉપરાંત પાકિસ્તાન તેમજ ફિલિપાઇન્સથી ત્યાં આવતી ફ્લાઇટ્સ ઉપર પણ 20 એપ્રિલથી 3 મે સુધી રોક લગાવી છે. પાકિસ્તાન અને ફિલિપાઇન્સમાં પણ કોવિડ-19નું સંક્રમણ બેકાબૂ બન્યું છે.

હોંગકોંગ સરકારે નિવેદનમાં કહ્યું હતું કે ભારત, પાકિસ્તાન, ફિલિપાઇન્સથી આવતી ફ્લાઇટ્સ પર રોક લગાવાનો આદેશ અપાયો છે. 20 એપ્રિલે રાતે 12 વાગ્યાથી 14 દિવસ માટે આ દેશોની તમામ પેસેન્જર ફ્લાઇટ્સને હોંગકોંગમાં ઉતરવાથી રોકવામાં આવશે.

હોંગકોંગના પ્રોટોકોલ અનુસાર ત્યાં જવાના વધુમાં વધું 72 કલાક પહેલા તમામ મુસાફરોએ RTPCR ટેસ્ટ કરાવીને નેગેટિવ રિપોર્ટ દર્શાવવો આવશ્યક છે.

આ અગાઉ રવિ વારે હોંગકોંગ સરકારે મુંબઈથી હોંગકોંગ વચ્ચે ચાલનારી વિસ્તારા ફ્લાઈટ્સની તમામ ઉડાણને બે મે સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી હતી.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code