Homeગુજરાતીજાણો લવિંગમાં રહેલા ઔષધિય ગુણોઃ- રસોઈ સિવાય પણ ઘણી બિમારીઓમાં તેનો ઉપયોગ...

જાણો લવિંગમાં રહેલા ઔષધિય ગુણોઃ- રસોઈ સિવાય પણ ઘણી બિમારીઓમાં તેનો ઉપયોગ ફાયદાકારક

  • લવિંગ દાંતના દુખાવા માટે કારગાર સાબિત થાય છે
  • લવિંગથી ખાસી પણ મટે છે

પ્રાચીનકાળથી ભારતીય પરંપરામાં મરી મસાલા રસોઈમાં ખૂબ મહત્વ ઘરાવે છે, અનેક પ્રકારના મરી મસાલાઓથી રસોઈનો સ્વાદ બેગણો થાય છે, રસોઈના સ્વાદમાં મરી. તજ,લવિંગ,બાદિયા વધારો કરે  છે,આજે આપણે વાત કરીશું લવિંગની. લવિંગ અનેક રસોઈને સ્વાદિષઅટ બનાવવામાં તો ઉપયોગી સાબિત થાય છે પરંતુ તેની સાથે જ લવિંગમાં રહેલા ગુણોથી બીજી અનેક બિમારીઓ પણ દુર થાય છે, જેમાં ખાસ કરીને દાંત માટે લવિંગ ખૂબજ ઉપયોગી સાબિત થાય છે, આ સાથે જ ખાસી અને વાળ માટે પણ લવિંગને ઉપયોગ કરી શકાય છે.

જાણો લવિંગના ઉપયોગ અને તેમાં રહેલા ગુણો

  • લવિંગમાં કેલ્શિયમ, મેગનીઝ, વિટામિન કે, ફાયબર, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન એ, વિટામિન બી6 જેવા ન્યૂટ્રીઅન્ટ્સ હોય છે. જે અનેક સ્વાસ્થ્ય લક્ષી બિમારીની સારવારમાં કામ લાગે છે.
  • લવિંગ અસ્થમા, પેટ અને ગેસ સંબંધી બીમારીઓમાં રાહત આપે છે
  • દાંતના દૂખાવા માટે લવિંગ ખૂબ ગુણકારી છે,જ્યારે દાંત કે પેઢામાં દૂખાવો થાય ચ્યારે લવિંગ દાંતમાં દબાવી રાખવું.જેનાથી રાહત મળએ છે.
  • લવિંગનું તેલ ગાંતમાં અને પેઢામાં આંગળી વડે ઘસવાથી પરેઢા અને દાંત સ્વસ્થ્ય બને છે
  • વાળ માટે પણ લવિંગ ખૂબ ગુણવત્તા ભરેલા છે, લવિંગ નાખઈને પાણીને ઉકાળઈ તે પાણઈથી જો વાળ ધોવામાં આવે તો વાળ સ્મૂથ અને સિલ્કી બને છે.
  • જ્યારે વોમિટ થતી હોય ત્યારે લવિંગને પીસીને તેમાં મધ નાખી તેને જીભમાં લાગે તે રીતે ચાટવાથઈ ઉલટીમાં રાહત થાય છે.
  • જ્યારે માથામાં દૂખાવો થતો હોય ત્યારે2 લવિંગને પીસીને 1 કપ પાણીમાં ઉકાળો તેમાં એક ચમચી ખાંડ ઉમેરીને સુતા વખતે પીવાથી દૂખાવો દૂર થાય છે
સંબંધિત લેખો

Most Popular