1. Home
  2. ગુજરાતી
  3. અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી નજીક ખાનગી લકઝરી બસ પલટી ખાતાં 15 પ્રવાસીઓ ઘવાયા

અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી નજીક ખાનગી લકઝરી બસ પલટી ખાતાં 15 પ્રવાસીઓ ઘવાયા

0
Social Share

સુરેન્દ્રનગર:  જિલ્લાના  લીંબડી રાજકોટ હાઈવ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ખાનગી લકઝરી બસ પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 15 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્તને લીંમડીની હોસ્પિટલ  ખસેડવામાં આવ્યા હતા. જો કે અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રાજકોટ હાઈવે પર વસ્તડીના પાટીયા પાસે લકઝરી બસ  પલટી મારી ગઈ હતી. સોમનાથથી અમદાવાદ જતી લકઝરી બસને અકસ્માત નડ્યો હતો. ખાનગી લકઝરી બસના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ખાનગી બસમાં 50 થી વધુ મુસાફરો હતાં જેમાં 15 થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે લીંબડીની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. અકસ્માતની જાણ થતા સુરેન્દ્રનગર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી સાથે 108 ની 5 જેટલી ગાડીઓ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. અકસ્માત અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code