1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. PM મોદી પાંચમી સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશેઃ સ્કુલ ઓફ એક્સલન્સનો પ્રોજેક્ટ લોન્ચ કરશે
PM મોદી પાંચમી સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશેઃ સ્કુલ ઓફ એક્સલન્સનો પ્રોજેક્ટ લોન્ચ કરશે

PM મોદી પાંચમી સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશેઃ સ્કુલ ઓફ એક્સલન્સનો પ્રોજેક્ટ લોન્ચ કરશે

0
Social Share

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5મી સપ્ટેમ્બરે ગુજરાતના એક દિવસના પ્રવાસે આવી રહ્યાં છે. ગાંધીનગરના  મહાત્મા મંદિરમાં શિક્ષણ દિનની ઉજવણીમાં વડાપ્રધાન ઉપસ્થિત રહેશે અને સ્કૂલ ઓફ એક્સેલન્સનો 8000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ લોંચ કરશે.

સૂત્રોના જણાવ્યા મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાંચમી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન નિમિત્તે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પાટનગર ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાનારા કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીના હસ્તે સ્કૂલ ઓફ એક્સેલન્સનો 8000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ લોંચ કરાશે.

આ પ્રોજેક્ટ અંતર્ગત ધોરણ-1 થી ધોરણ-8ની 15000 સરકારી પ્રાથમિક શાળા અને  4000 ગ્રાન્ટ ઈન માધ્યમિક શાળાને આવરી લેવાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના દરેક તાલુકા દીઠ ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરવાળી 250 શાળાનું લોકાર્પણ પણ કરશે. આ સરકારી શાળા પર દેખરેખ રાખવા તૈયાર થયેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું પણ વડાપ્રધાન લોન્ચિંગ કરશે.

ગુજરાતની સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શાળાકીય શિક્ષણ આપવાના ઉદ્દેશથી શિક્ષણ વિભાગે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સની શરૂઆત કરી છે. આ પ્રોજેક્ટમાં ખાનગી સંસ્થા કે વ્યક્તિ સરકારી સ્કૂલોના તેજસ્વી વિદ્યાર્થીઓને કારકિર્દીના ઘડતરમાં મદદરૂપ તમામ પ્રકારની સુવિધા વિનામૂલ્યે પુરી પાડશે. રાજ્ય સરકાર દર વર્ષે આ પ્રોજેક્ટ હેઠળ એક લાખ વિદ્યાર્થીઓ તૈયાર કરાશે.

હાલ રાજ્યમાં સરકારી નિવાસી સ્કૂલોના રૂપમાં જવાહર નવોદય વિદ્યાલય, એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કાર્યરત છે. આ સ્કૂલોમાં પ્રવેશ માટે દર વર્ષે મોટી સંખ્યામાં અરજીઓ આવે છે. શિક્ષણ વિભાગે આ બાબતને ધ્યાને લઇ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (પીપીપી) મોડેલ પર વિશ્વસ્તરની રેસિડેન્સિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સની નીતિ બનાવી છે.

આ નીતિ પ્રમાણે રાજ્યની સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરતાં ધોરણ-6 થી ધોરણ-12 સુધીના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવશે. શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિઓ, ઉચ્ચ અધ્યાપન સામગ્રી અને વૈકલ્પિક શૈક્ષણિક માધ્યમ જે ખાનગી સ્કૂલોમાં હોય તેવી સુવિધા આ નિવાસી સ્કૂલમાં પ્રદાન કરાશે. આ સ્કૂલોમાંથી પ્રતિભાવંત વિદ્યાર્થીઓને શોધી તેમના માટે જીઇઇ, એનઇઇટી તેમજ સિવિલ સર્વિસિસ પરીક્ષા માટે શ્રેષ્ઠ કોચિંગની સુવિધા પુરી પાડવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે વર્ષે એક લાખ વિદ્યાર્થીઓને આ નીતિમાં આવરી લેવાથી પ્રત્યેક વિદ્યાર્થી પાછળ સરકાર 60 હજાર રૂપિયાનો ખર્ચ કરશે જેથી સમગ્ર પ્રોજેક્ટનો કુલ ખર્ચ 600 કરોડ રૂપિયા થવા જાય છે. પ્રોજેક્ટ પાર્ટનર્સની પસંદગી માટે કુશળ અને અનુભવી વ્યક્તિઓની બનેલી સમિતિ દ્વારા ચકાસણી કરાશે. આ સમિતિ પસંદગી પામેલા અરજદારોની મંજૂરી માટે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના સચિવની બનેલા ગવર્નિંગ કાઉન્સિલને ભલામણ કરશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code