1. Home
  2. ગુજરાતી
  3. પિતૃઓની આત્માની શાંતિ માટે ભગવાન વિષ્ણુનો આ મંત્ર કરો
પિતૃઓની આત્માની શાંતિ માટે ભગવાન વિષ્ણુનો આ મંત્ર કરો

પિતૃઓની આત્માની શાંતિ માટે ભગવાન વિષ્ણુનો આ મંત્ર કરો

0
Social Share

પિતૃઓની આત્માની શાંતિ માટે લોકો અનેક પ્રકારની પૂજા વિધિ કરતા હોય છે. આનાથી તેમની આત્માને શાંતિ પણ મળે છે પણ ક્યારેક ભગવાન વિષ્ણુનો આ મંત્ર પણ કરવો જોઈએ, અને માન્યતા અનુસાર લોકો કહે છે કે ભગવાન વિષ્ણુના આ મંત્ર કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે.

જો આ બાબતે સૌથી પહેલા વાત કરવામાં આવે ભગવાના વિષ્ણુના આ મંત્ર ‘ૐ વિષ્ણવે નમ:’ ની તો કહેવામાં આવે છે કે મોક્ષદાતા વિષ્ણુ ભગવાનનું સ્મરણ જ અત્યંત લાભકારી છે. આ મંત્રના જાપ માત્રથી પૂર્વજોને મોક્ષ મળે છે. કહેવાય છે કે જે વ્યક્તિ આ મંત્રનો જાપ કરે છે તેના પૂર્વજોને, પોતાને અને તેની આવનારી પેઢીઓનો પણ મોક્ષ થાય છે.

આ ઉપરાંત ૐ નમો ભગવતે વાયુદેવાય નમ: મંત્રની તો આનાથી પણ, પિતૃઓના મોક્ષ અર્થે આ મંત્રનો અચૂક જાપ કરવો જોઈએ. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ધ્રુવ અને પ્રહ્લાદે પણ આ મંત્રનો જાપ કરી મોક્ષના દાતા ભગવાન વષ્ણુની આરાધના કરી હતી. આ મંત્રના પ્રતાપે જ પ્રહ્લાદ હોળીની અગ્નિમાં પણ હેમખેમ રહ્યા. દેવ ઋષિ નારાદજી પણ સતત આ મંત્રનો જાપ કરતાં હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ મળે છે.

ૐ નમો નારાયણ મંત્ર કે જે પિતૃઓની આત્માની શાંતિ માટેનો ખૂબ સરળ મંત્ર છે. એવું કહેવાય છે કે આ મંત્ર ખુબ પ્રભાવશાળી છે. આ મંત્ર સંન્યાસીઓ માટે તો પ્રાણવાયુ સમાન છે. એવું સંન્યાસીઓ સતત આ મંત્રનો જાપ કરતાં રહે છે. આ પ્રભુની કૃપાને પ્રાપ્ત કરવાનારો સરળ મંત્ર છે.

ઉલ્લેખનીય છે કે આ લેખ માત્ર જાણકારી માટે અને માન્યતાના આધારે તૈયાર કરવામાં આવ્યો છે અને આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code