1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટમાં ભારત—શ્રીલંકા વચ્ચે 7મી જાન્યુઆરીએ ટી-20 મેચ રમાશે
રાજકોટમાં ભારત—શ્રીલંકા વચ્ચે 7મી જાન્યુઆરીએ ટી-20 મેચ રમાશે

રાજકોટમાં ભારત—શ્રીલંકા વચ્ચે 7મી જાન્યુઆરીએ ટી-20 મેચ રમાશે

0
Social Share

અમદાવાદઃ હાલ ટીમ ઈન્ડિયાની ટીમ બાંગ્લાદેશના પ્રવાસે છે જ્યાં આજથી ટેસ્ટનો પ્રારંભ થયો છે. દરમિયાન આગામી જાન્યુઆરી મહિનામાં રાજકોટના સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા શ્રીલંકા સાથે ટી-20 મેચ રમશે. શ્રીલંકાની ટીમ આગામી દિવસોમાં ભારતના પ્રવાસે આવશે. જ્યારે આગામી દિવસોમાં શ્રીલંકા સામેનની ટી-20 મેચ માટે ટીમની જાહેરાત કરાશે.

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના ક્રિકેટ પ્રેમીઓ ભારત-શ્રીલંકા વચ્ચેની ટી-20 મેચ નિહાળી શકશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ ખાતે આગામી 7 જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટ મેચ રમાશે. આ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે. T20 મેચને લઇને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન તરફથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.મેચના 10 દિવસ પહેલા ટિકિટનું ઓનલાઈન વેચાણ શરૂ કરવામાં આવશે..તેમ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના પ્રેસિડેન્ટ જયદેવ શાહે માહિતી આપી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code