1. Home
  2. ગુજરાતી
  3. અમિત શાહ નાગપુરમાં લોકમત કાર્યક્રમમાં ભાગ લેશે,સ્મારક સિક્કા બહાર પાડશે
અમિત શાહ નાગપુરમાં લોકમત કાર્યક્રમમાં ભાગ લેશે,સ્મારક સિક્કા બહાર પાડશે

અમિત શાહ નાગપુરમાં લોકમત કાર્યક્રમમાં ભાગ લેશે,સ્મારક સિક્કા બહાર પાડશે

0
Social Share

દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે નાગપુરમાં લોકમત મીડિયા જૂથના સ્થાપક-સંપાદક અને સ્વાતંત્ર્ય સેનાની જવાહરલાલ દર્ડાની જન્મ શતાબ્દી અને શહેરમાંથી મરાઠી અખબારની આવૃત્તિની સુવર્ણ જયંતિની ઉજવણી માટે એક કાર્યક્રમમાં હાજરી આપશે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આ કાર્યક્રમના અતિથિ હશે.રેશમી બાગના સુરેશ ભટ ઓડિટોરિયમ ખાતે યોજાનાર કાર્યક્રમમાં શાહ દેશના અગ્રણી પ્રાદેશિક ભાષાના અખબાર લોકમતની નાગપુર આવૃત્તિનો વિશેષ અંક બહાર પાડશે,

ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા જવાહરલાલ દર્ડાની યાદમાં સ્મારક સિક્કો અને લોકમતની સુવર્ણ જયંતિ પર એક ખાસ ટપાલ ટિકિટ પણ બહાર પાડશે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code