1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઉનાળામાં થઈ શકે છે આંખો સબંધિત સમસ્યા, ખંજવાળ અને શુષ્કતાથી છુટકારો મેળવવા માટે કરો આ ઉપાય
ઉનાળામાં થઈ શકે છે આંખો સબંધિત સમસ્યા, ખંજવાળ અને શુષ્કતાથી છુટકારો મેળવવા માટે કરો આ ઉપાય

ઉનાળામાં થઈ શકે છે આંખો સબંધિત સમસ્યા, ખંજવાળ અને શુષ્કતાથી છુટકારો મેળવવા માટે કરો આ ઉપાય

0
Social Share

ઉનાળાના દિવસોમાં આંખને લગતી સમસ્યાઓ થવા લાગે છે જેના કારણે આંખો લાલ થઈ જાય છે અને આંખોમાં શુષ્કતા આવી જાય છે. જો તેની સમયસર સારવાર ના કરવામાં આવે તો સમસ્યાઓનું કારણ બની શકે છે. જો ઉનાળામાં તમારી આંખો લાલ કે શુષ્ક થવા લાગી હોય તો તમે આ ઘરેલું ઉપાય કરી શકો છો.

ઉનાળાની ઋતુ આવતા જ આંખને લગતી સમસ્યાઓ થવા લાગે છે. તેનાથી બચવા માટે તમે કેટલાક ઉપાયો કરી શકો છો. જ્યારે પણ તમે તડકામાં બહાર જાવ ત્યારે તમારે ચશ્મા જરૂર પહેરવા જોઈએ, આ તમારી આંખોને હાનિકારક કિરણોથી બચાવશે. દિવસમાં 2 થી 3 વખત તમારી આંખોને ઠંડા પાણીથી ધોઈ લો, તેનાથી ગંદકી દૂર થશે.

જો તમે સ્ક્રીન પર 5 થી 6 કલાક કામ કરો છો, તો સ્ક્રીનનો સમય ઓછો કરો. તમારે તમારા ડાઈટમાં વિટામિન A, C અને Eથી ભરપૂર ફળો અને શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ, આ તમારી આંખોને સ્વસ્થ રાખશે. તમારે દરરોજ 7 થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ, તેનાથી આંખોમાં શુષ્કતા અને જલન ઓછી થશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code