1. Home
  2. ગુજરાતી
  3. અમેરિકા-ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ સમજૂતીના નિર્ણયને પીએમ મોદીએ આવકાર્યો
અમેરિકા-ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ સમજૂતીના નિર્ણયને પીએમ મોદીએ આવકાર્યો

અમેરિકા-ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ સમજૂતીના નિર્ણયને પીએમ મોદીએ આવકાર્યો

0
Social Share

નવી દિલ્હી, 15 જૂન 2026: વિશ્વના અર્થતંત્ર પર મંડરાતા જોખમ વચ્ચે આખરે 107 દિવસ બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી પર સહમતી સધાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક ડીલનું સ્વાગત કરતા જણાવ્યું છે કે, આ સમજૂતીથી પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા સ્થાપિત થશે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, “અમેરિકા-ઈરાન સંઘર્ષને કારણે વિશ્વમાં ભારે આર્થિક ઉથલપાથલ સર્જાઈ હતી. આ ડીલથી વૈશ્વિક વેપાર અને દરિયાઈ માર્ગે અવરજવરની સ્વતંત્રતા સુનિશ્ચિત થશે.” તેમણે આશા વ્યક્ત કરી હતી કે વાતચીત દ્વારા આ મુદ્દે કાયમી ઉકેલ આવશે.

અમેરિકા અને ઈરાન વચ્ચે કુલ 14 મહત્વના મુદ્દાઓ પર સહમતી બની છે. આ કરાર પર આગામી 19 જૂને જીનીવામાં સત્તાવાર હસ્તાક્ષર કરવામાં આવશે, જેમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર રહી શકે છે. ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા એપ ‘ટ્રુથ સોશિયલ’ પર આ અંગે જાહેરાત કરતા જણાવ્યું કે, હોર્મુઝ જલડમરુમધ્યમાંથી અમેરિકી નાકાબંધી તાત્કાલિક અસરથી હટાવી લેવામાં આવશે અને આ દરિયાઈ માર્ગને વેપાર માટે સંપૂર્ણપણે ખોલી દેવામાં આવશે.

અમેરિકા અને ઈરાન વચ્ચે 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ યુદ્ધને કારણે વિશ્વભરમાં તેલ અને ગેસના ભાવમાં તોતિંગ વધારો થયો હતો. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, આ યુદ્ધને કારણે હોર્મુઝમાં અત્યારે પણ 600 જેટલા મોટા જહાજો ફસાયેલા છે, જેમાં ભારતની માલિકીના આશરે 13 જહાજોનો સમાવેશ થાય છે. આ સમજૂતીથી ફસાયેલા જહાજોને મુક્તિ મળશે અને વૈશ્વિક સપ્લાય ચેઈન ફરી વેગવંતી બનશે. હાલમાં આ શાંતિ સમજૂતીને કારણે ભારત સહિત સમગ્ર વિશ્વએ રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે આ કરારથી ક્રૂડ ઓઈલના ભાવ ઘટવાની અને આંતરરાષ્ટ્રીય વેપાર સુરક્ષિત થવાની પૂરેપૂરી શક્યતા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code