1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. લખતર નજીક એસટી અને ખાનગી બસ વચ્ચે અકસ્માતઃ એકનું મોત
લખતર નજીક એસટી અને ખાનગી બસ વચ્ચે અકસ્માતઃ એકનું મોત

લખતર નજીક એસટી અને ખાનગી બસ વચ્ચે અકસ્માતઃ એકનું મોત

0
Social Share

સુરેન્દ્રનગર:   જિલ્લાના  લખતર- સુરેન્દ્રનગર  હાઇ- વે પર આજે સવારે એસટી બસ અને ખાનગી બસ વચ્ચે એક મોટો અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે સુરેન્દ્રનગરથી ઉપડેલી સુરેન્દ્રનગર અમદાવાદ બસ લખતર નજીક છરાદ ગામ પાસે  ખાનગી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં એક સાથે 15થી વધુ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે હોસ્પિટલમાં લઈ જતી વખતે એક વ્યક્તિનું મોત થયું હતું  છેલ્લે મળતી માહિતી પ્રમાણે કુલ 4 લોકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે.  દુર્ઘટનામાં ખાનગી બસ ઓવરટેક કરતા એસટી બસ સાથે અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. સ્થાનિક પોલીસને ઘટનાની જાણ થતાં કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 108 મારફતે તમામ ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ નજીકની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા હતા.

આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે કે,  વહેલી સવારે સુરેન્દ્રનગરથી ઉપડેલી સુરેન્દ્રનગર અમદાવાદ બસ લખતર નજીક છરાદ ગામ પાસે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં ખાનગી બસ ઓવરટેક કરતા એસટી બસ સાથે અથડાતા 15થી વધુ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાની જાણ  સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી, જેના કારણે તાબડતોડ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ ઘટનામાં ગંભીર ઈજાગ્રસ્તોને 108 મારફતે નજીકની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા હતા.

અત્રે નોંધનીય છે કે, બન્ને બસોના ડ્રાઈવરની હાલત હાલ ગંભીર હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. છારદ ગામ પાસે ખાનગી બસ ઓવરટેક કરવા જતા સામેથી આવતી સુરેન્દ્રનગર અમદાવાદ એસટી બસ સાથે ધડાકાભેર અથડાઇ અને અકસ્માત સર્જાયો હતો. સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code