1. Home
  2. ગુજરાતી
  3. ટ્રાન્સપોર્ટ ફ્લીટને આધુનિક બનાવશે વાયુસેના,AN-32 એરક્રાફ્ટની જગ્યા લેશે C-295 વિમાન
ટ્રાન્સપોર્ટ ફ્લીટને આધુનિક બનાવશે વાયુસેના,AN-32 એરક્રાફ્ટની જગ્યા લેશે C-295 વિમાન

ટ્રાન્સપોર્ટ ફ્લીટને આધુનિક બનાવશે વાયુસેના,AN-32 એરક્રાફ્ટની જગ્યા લેશે C-295 વિમાન

0
Social Share

દિલ્હી:ભારતીય વાયુસેનાના ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ AN-32 ની જગ્યા હવે C-295 વિમાન લેશે.આ વિમાન ભારતમાં જ બનાવવામાં આવી રહ્યા છે.વાયુસેનાના એક અધિકારીએ જણાવ્યું કે,ભારતીય વાયુસેના તેના પરિવહન કાફલાને આધુનિક બનાવવાની તૈયારી કરી રહી છે, જે અંતર્ગત આ મહત્વપૂર્ણ ફેરફાર પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

અધિકારીના જણાવ્યા અનુસાર, C-295 મીડિયમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ભારતમાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ અને યુરોપિયન ફર્મ એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ દ્વારા બનાવવામાં આવશે. આ પગલાને 1960ના દાયકામાં આઈએએફના પરિવહન કાફલામાં સામેલ કરાયેલા એવરો-748 એરક્રાફ્ટના રિપ્લેસમેન્ટ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.સાથે જ અધિકારીઓનું એમ પણ કહેવું છે કે,AN-32ની જગ્યાએ C-295 એરક્રાફ્ટ પર સહમતિ બનાવવામાં આવી રહી છે.

ભારતીય વાયુસેના હાલમાં 90 AN-32 એરક્રાફ્ટ ચલાવે છે.આ વિમાન લદ્દાખ અને પૂર્વોત્તર સહિત દેશના ઘણા ભાગોમાં તૈનાત સૈનિકોની મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. એરફોર્સના અન્ય એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે,C-295 એરક્રાફ્ટ AN-32ની ભૂમિકા નિભાવવામાં સક્ષમ છે અને તે વધુ સારું રિપ્લેસમેન્ટ સાબિત થઈ શકે છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code