દેશમાં 100 નવી સૈનિક શાળાઓની સ્થાપવાની મંજુરી
નવી દિલ્હીઃ દેશમાં સુરક્ષા એજન્સીઓને વધારે મજબુત બનાવવા અને યુવાનોને રોજગારી પુરી પાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અગ્નિપથ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જો કે, યુવાનોને ફરજિયા સેવા માટે આ યોજના શરૂ નહીં કરવામાં આવ્યું હોવાનું સરકારે લોકસભામાં જણાવ્યું હતું. તેમજ સમગ્ર દેશમાં 100 નવી સૈનિક શાળાઓની મંજુરી આપવામાં આવી હોવાનું પણ કહ્યું હતું.
રક્ષા રાજ્ય મંત્રી અજય ભટ્ટે લોકસભામાં એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, સશસ્ત્ર દળોમાં યુવાનોની ફરજિયાત સેવા માટે સરકારે કોઈ યોજના ઘડી નથી. અગ્નિપથ યોજનાના અમલીકરણમાં સૈનિક શાળાઓની કોઈ ભૂમિકા નથી.
તેમણે વધુમાં કહ્યું કે, સરકારે NGO/ખાનગી શાળાઓ/રાજ્ય સરકારો સાથે ભાગીદારી મોડમાં 100 નવી સૈનિક શાળાઓની સ્થાપનાને મંજૂરી આપી છે. આ યોજના મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિત તમામ રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોની શાળાઓ માટે ઉપલબ્ધ છે, જે અરજદાર શાળાઓ પાત્રતાના માપદંડોને સંતોષે છે અને સૈનિક સ્કૂલ સોસાયટી દ્વારા શાળાઓ અનુગામી NGO/ખાનગી/રાજ્ય સરકાર સાથેના કરાર (MoA) પર હસ્તાક્ષર કરાયા છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, સશસ્ત્ર દળો દ્વારા ભરતી રેલીઓ દેશના આદિવાસી વિસ્તારો સહિત તમામ જિલ્લાઓને આવરી લેવાના ઉદ્દેશ્ય સાથે યોજવામાં આવે છે.