1. Home
  2. ગુજરાતી
  3. કથિત દારૂ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી, EDની અરજી ઉપર કોર્ટે મોકલ્યું સમન્સ
કથિત દારૂ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી, EDની અરજી ઉપર કોર્ટે મોકલ્યું સમન્સ

કથિત દારૂ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી, EDની અરજી ઉપર કોર્ટે મોકલ્યું સમન્સ

0
Social Share

નવી દિલ્હીઃ દિલ્હીના કથિત દારૂ કૌભાંડ પ્રકરણમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી શકે છે. રાઉઝ એવન્યુ કોર્ટે ગુરુવારે (અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની અરજી ઉપર આ સમન્સ મોકલવામાં આવ્યું છે. કોર્ટે અરવિંદ કેજરીવાલને 16 માર્ચ સુધી હાજર થવાનો નિર્દેશ આપ્યો છે.

હકીકતમાં, EDએ કથિત દિલ્હી લિકર પોલિસીની મની લોન્ડરિંગ કેસમાં સમન્સનું પાલન ન કરવા બદલ કોર્ટમાં બીજી ફરિયાદ દાખલ કરી હતી. જેના પર કોર્ટે કાર્યવાહી કરી છે. આ પહેલા EDએ અરવિંદ કેજરીવાલને 8 સમન્સ જારી કર્યા છે પરંતુ તેઓ એજન્સી સમક્ષ હાજર થયા નથી. અરવિંદ કેજરીવાલે આ તમામ સમન્સને ગેરકાયદેસર ગણાવ્યા છે. તેમણે કહ્યું હતું કે EDના સમન્સ ગેરકાયદેસર છે પરંતુ તે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રશ્નોના જવાબ આપવા તૈયાર છે.

ED પહેલાથી જ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી ચૂક્યું છે. પાંચમા સમન્સ બાદ EDએ કોર્ટનો સંપર્ક કર્યો હતો. જેની સુનાવણી કરતાં કોર્ટે તેને 17મી ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો હતો. આ પછી, અરવિંદ કેજરીવાલના વકીલે બજેટ સત્રને ટાંકીને વ્યક્તિગત હાજરી માટે છૂટ માંગી હતી.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code