1. Home
  2. ગુજરાતી
  3. સરકાર EPFમાં 24 ટકા ફાળો જમા કરાવશે, આ કર્મચારીઓને મળશે લાભ

સરકાર EPFમાં 24 ટકા ફાળો જમા કરાવશે, આ કર્મચારીઓને મળશે લાભ

0
Social Share
  • સરકાર હવે EPFમાં 24 ટકા ફાળો જમા કરાવશે
  • આ યોજનાનો લાભ 31 માર્ચ, 2022 સુધી મેળવી શકાશે
  • આનો લાભ 15,000 રૂપિયાથી ઓછો માસિક પગાર મેળવતા તે કર્મચારીઓને મળશે

નવી દિલ્હી: દેશના અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા માટે તેમજ આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે અન્ય એક આર્થિક પેકેજની ઘોષણા કરી હતી. આમાં આત્મનિર્ભર ભારત યોજનાની મુદત 2022 સુધી વધારી દેવામાં આવી છે. આ યોજના અંતર્ગત સરકાર દ્વારા ઓછા વેતન મેળવતા કર્મચારીઓનું 24 ટકા EPF યોગદાન જમા કરવામાં આવશે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, ભારત સરકારે 1 ઑક્ટોબર, 2020માં અને પછી 30 જૂન, 2021 સુધી જોડાયેલા નવા કર્મચારીઓના સંબંધમાં બે વર્ષ માટે સબસિડી આપી હતી. હવે, આ યોજનાનો લાભ 31 માર્ચ, 2022 સુધી મેળવી શકાશે.

કોને મળશે લાભ

આનો લાભ 15,000 રૂપિયાથી ઓછો માસિક પગાર મેળવતા તે કર્મચારીઓને મળશે છે કે જેઓ 1 ઓક્ટોબર, 2020 પહેલા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ) માં નોંધાયેલા કોઈ પણ પ્રતિષ્ઠાનમાં કામ કરતા ન હોય, અને જેમનું 1 ઓક્ટોબર 2020 પહેલા કોઇ યુનિવર્સલ એકાઉન્ટ નંબર કે ઇપીએફ સભ્ય એકાઉન્ટ નંબર ન હોય તેમને મળશે.

ખરેખર, આત્મ નિર્ભર ભારત યોજનાનો ઉદ્દેશ દેશના સંગઠિત ક્ષેત્રમાં રોજગારને પ્રોત્સાહન આપવાનો અને કોરોના રોગચાળા દરમિયાન નવી રોજગારની તકોના નિર્માણને પ્રોત્સાહન આપવાનો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code