1. Home
  2. ગુજરાતી
  3. સંરક્ષણ

સંરક્ષણ

આતંકવાદના અડ્ડા હવે સુરક્ષિત નથી, SCO બેઠકમાં રાજનાથ સિંહની ગર્જના

નવી દિલ્હી, 28 એપ્રિલ 2026: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ની બેઠકમાં વૈશ્વિક સુરક્ષા અને આતંકવાદ મુદ્દે ભારતનું કડક વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે ચેતવણી આપી હતી કે આતંકવાદને પ્રોત્સાહન આપતા દેશો સામે હવે કડક કાર્યવાહીનો સમય આવી ગયો છે. રાજનાથ સિંહે ભારપૂર્વક કહ્યું કે, “આતંકવાદનો કોઈ ધર્મ કે રાષ્ટ્રીયતા હોતી નથી […]

રક્ષા મંત્રી કિર્ગિસ્તાનના બિશ્કેકમાં SCO સંરક્ષણ પ્રધાનોની બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે

નવી દિલ્હી, 27 એપ્રિલ 2026: રક્ષા મંત્રી  રાજનાથ સિંહ 28 એપ્રિલ, 2026ના રોજ કિર્ગિસ્તાનના બિશ્કેકમાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ના સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં ઉચ્ચ સ્તરીય ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. આ બેઠક દરમિયાન, વિવિધ સભ્ય દેશોના સંરક્ષણ મંત્રીઓ પ્રદેશના સંરક્ષણ અને સુરક્ષા સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. આંતરરાષ્ટ્રીય શાંતિ, આતંકવાદ વિરોધી પગલાં અને એસસીઓ સભ્ય […]

રશિયા પાસેથી ભારત ઘાતક R-37M અલ્ટ્રા લોંગ રેન્જ એર-ટુ-એર મિસાઈલ ખરીદશે

નવી દિલ્હી, 27 એપ્રિલ 2026: સરહદ પર ચીન અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા સંરક્ષણ તાલમેલ વચ્ચે ભારતે રશિયા સાથે એક અત્યંત મહત્વપૂર્ણ અને ગુપ્ત સંરક્ષણ સોદો પાર પાડ્યો હોવાના અહેવાલ છે. આ કરાર હેઠળ ભારત રશિયા પાસેથી ઘાતક આર-37એમ અલ્ટ્રા-લોન્ગ-રેન્જ એર-ટુ-એર મિસાઈલ ખરીદશે. આ મિસાઈલો મળવાથી ભારતીય વાયુસેનાની આક્રમક ક્ષમતામાં અનેકગણો વધારો થશે અને દુશ્મન […]

ભારતમાં તુર્કી અને ચીન-પાકિસ્તાન કનેક્શન ધરાવતી ગેમ્સ પર સરકારની સીધી દેખરેખ રહેશે

નવી દિલ્હી, 23 એપ્રિલ 2026: ડિજિટલ સુરક્ષા અને રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ઓનલાઇન ગેમિંગ માટે નવા અને કડક નિયમો જાહેર કર્યા છે. આગામી 1 મે 2025થી અમલી બનનારા આ નિયમો મુજબ, જે ઓનલાઇન ગેમ્સનું કનેક્શન ચીન, પાકિસ્તાન કે તુર્કિયે સાથે હશે તેના પર સરકારની સીધી દેખરેખ રહેશે અને તેનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બની […]

પૂર્વાંચલ એક્સપ્રેસવે પર સુલતાનપુર ખાતે ઇમરજન્સી લેન્ડિંગ સુવિધા ઉભી કરાઈ

નવી દિલ્હી, 23 એપ્રિલ 2026: ભારતીય વાયુસેનાએ 22 એપ્રિલ, 2026ના રોજ ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લામાં પૂર્વાંચલ એક્સપ્રેસવે પર દિવસ અને રાત બંને સમયે ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી (ELF) સક્રિય કરી. આનાથી વાયુસેનાની સંરક્ષણ તૈયારીઓને મજબૂત બનાવવાની કામગીરીની ક્ષમતા દર્શાવવામાં આવી. ઉત્તર પ્રદેશના પંચાયતી રાજ અને લઘુમતી કલ્યાણ રાજ્યમંત્રી શ્રી ઓમ પ્રકાશ રાજભર, એર માર્શલ બી. મણિકાંતન […]

ભારત વિરુદ્ધના દરેક પાપનો હિસાબ થશે: ભારતીય સેના

નવી દિલ્હી, 22 એપ્રિલ 2026: આજે ભારત પહલગામના એ કાળા દિવસને યાદ કરી રહ્યું છે, જ્યારે પાકિસ્તાન પ્રેરિત આતંકીઓએ ૨૬ નિર્દોષ પ્રવાસીઓની ઘાતકી હત્યા કરી હતી. આ હુમલાની પ્રથમ વરસી પર ભારતીય સેનાએ સોશિયલ મીડિયા દ્વારા દુશ્મનોને અત્યંત કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે ભારત વિરુદ્ધના કોઈપણ કૃત્યનો વળતો જવાબ નિશ્ચિત છે. ભારતીય સેનાએ હુમલા […]

આંતરિક સુરક્ષા બનશે મજબુત, DRDOએ ગૃહ મંત્રાલયને સોંપી AI સજ્જ પ્રજ્ઞા સેટેલાઈટ સિસ્ટમ

નવી દિલ્હી, 21 એપ્રિલ 2026: ભારતની આંતરિક સુરક્ષાને અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવા માટે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) એ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સર કર્યું છે. ડીઆરડીઓ દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) આધારિત સ્વદેશી ‘પ્રજ્ઞા ઈમેજિંગ સેટેલાઈટ સિસ્ટમ’ વિકસાવીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સોંપવામાં આવી છે. આ સિસ્ટમથી આતંકવાદ અને નક્સલવાદ વિરોધી અભિયાનોમાં ભારતને મોટી સફળતા મળશે. […]

ઓપરેશન સિંદૂરનો ફફડાટ: પાકિસ્તાને સરહદ પર ડ્રોન જાસૂસી તેજ કરી, પંજાબમાં હાઈ-એલર્ટ

અમૃતસર, 21 એપ્રિલ 2026: ભારત દ્વારા કરવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ બાદ પાકિસ્તાન અંદરથી હચમચી ગયું છે. સરહદ પારથી હવે માત્ર નશીલા પદાર્થોની તસ્કરી જ નહીં, પરંતુ ભારતીય સરહદી વિસ્તારોમાં જાસૂસી કરવા માટે ડ્રોન ગતિવિધિઓમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. પંજાબના સરહદી વિસ્તારોમાં પાકિસ્તાની ડ્રોન હવે પહેલા કરતા વધુ ઊંડાણ સુધી પહોંચી રહ્યા છે, જેણે ભારતીય […]

હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય જહાજો ઉપર ફાયરિંગને લઈને ભારતીય નૌસેના એક્શન મોડમાં, એડવાઈઝરી જાહેર કરાઈ

નવી દિલ્હી, 20 એપ્રિલ 2026: પશ્ચિમ એશિયાના દરિયાઈ માર્ગો પર તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં બે ભારતીય જહાજો પર ગોળીબારની ઘટના બાદ ભારતીય નૌસેનાએ આક્રમક વલણ અપનાવ્યું છે. 18 એપ્રિલના રોજ બનેલી આ ઘટના બાદ નૌસેનાએ પર્શિયન ગલ્ફમાં ભારતીય ધ્વજ ધરાવતા જહાજો માટે નવી એડવાઈઝરી જારી કરી છે અને સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવી દીધી […]

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ જર્મનીની ત્રણ દિવસની મુલાકાતે જશે

સંરક્ષણ ઔદ્યોગિક સહયોગ વધારવા, સૈન્ય-થી-સૈન્ય જોડાણ અને ઉભરતા ક્ષેત્રોમાં તકો શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે નવી દિલ્હી, 20 એપ્રિલ, 2026 – સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ જર્મનીની ત્રણ દિવસની મુલાકાતે જશે, તેમ એક સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે. રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહ બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક સંરક્ષણ ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે 21 થી 23 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code