1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગણેશ ચતુર્થીના દિવસે બાપ્પાની સ્થાપના વખતે આ મંત્રનો કરો જાપ
ગણેશ ચતુર્થીના દિવસે બાપ્પાની સ્થાપના વખતે આ મંત્રનો કરો જાપ

ગણેશ ચતુર્થીના દિવસે બાપ્પાની સ્થાપના વખતે આ મંત્રનો કરો જાપ

0
Social Share

દેશમાં અત્યારે ગણેશ ચતુર્થીને લઈને જોરદાર માહોલ છે લોકોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તો ખુબ મોટા તહેવારની જેમ આ દિવસને ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે જે લોકો પોતાના ઘરમાં પણ ગણપતિ બાપ્પાનું સ્થાપન કરે છે તેમણે આ જાણકારી જરૂરથી જાણવી જોઈએ.

શુભ મુહૂર્તમાં ગણપતિજીની જગ્યા કરવાથી બાપ્પા વ્યક્તિની દરેક વિઘ્નો દૂર કરે છે. ઘર કે મંદિરમાં ગણપતિજીની સ્થાપના સમયે આ મંત્રનો જાપ કરો. अस्य प्राण प्रतिषठन्तु अस्य प्राणा: क्षरंतु च। श्री गणपते त्वम सुप्रतिष्ठ वरदे भवेताम।।

પંચાંગ અનુસાર, ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે ભાદરવા સુદ ચોથથી શરૂ થાય છે અને અનંત ચતુર્દશી પર સમાપ્ત થાય છે. આ વખતે અનંત ચતુર્દશી 9 સપ્ટેમ્બર 2022ના રોજ છે. આ દિવસે બાપ્પાનું વિસર્જન કરવામાં આવે છે.

બાપ્પાના આગમન માટે વિવિધ સ્થળોએ પંડાલ બનાવવામાં આવ્યા છે. ખાસ શણગાર કરવામાં આવે છે. ઘરોમાં સ્થાપના કરવામાં આવે છે. માન્યતા અનુસાર આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. ગણેશ ચતુર્થીથી શરૂ થતા આ તહેવારમાં ઘરે-ઘરે બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે, ગણપતિજીની પૂજા કરવામાં આવે છે અને 10 દિવસ સુધી ભક્તિભાવથી સેવા કરવામાં આવે છે, ત્યારબાદ અનંત ચતુર્દશીના દિવસે બાપ્પાનું વિસર્જન કરવામાં આવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code