1. Home
  2. ગુજરાતી
  3. જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોએ શોપિયામાં લશ્કરના 2 આતંકીઓને કર્યા ઠાર
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોએ શોપિયામાં લશ્કરના 2 આતંકીઓને કર્યા ઠાર

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોએ શોપિયામાં લશ્કરના 2 આતંકીઓને કર્યા ઠાર

0
Social Share

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના શોપિયામાં મંગળવારે સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ અથડામણમાં બે આતંકીઓને ઠાર કર્યા છે. કાશ્મીર ઝોન પોલીસના મુજબ, ઠાર કરવામાં આવેલા બંને આતંકી લશ્કર-એ-તૈયબાના સદસ્ય હતા, જે ઘાટીમાં મોટી ઘટનાને અંજામ આપવાના હતા.

પોલીસના એક અધિકારીએ કહ્યું કે સુરક્ષાદળોએ શોપિયાના નાગબલ વિસ્તારમાં આતંકવાદીઓની હોવાની જાણ થયા બાદ નાકાબંધી કરી તપાસ અભિયાન શરુ કર્યું. આ અભિયાન દરમિયાન અથડામણ શરુ થઈ, જેમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા.

કાશ્મીરના ADGP વિજય કુમારે કહ્યું કે માર્યા ગયેલા 3 આતંકવાદીઓની ઓળખ સ્થાનિક લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ તરીકે થઈ છે. આતંકવાદીઓની ઓળખ દાનિશ ખુર્શીદ ભટ, તનવીર વાની અને તૌસીફ ભટ તરીકે થઈ છે. આ આતંકીઓ અગાઉ કાશ્મીરમાં અનેક આતંકી ઘટનાઓમાં સામેલ હતા. એડીજીપી વિજય કુમારે જણાવ્યું કે આમાંથી દાનિશ નામનો આતંકવાદી શોપિયાંમાં યુવાનોને ફસાવીને આતંકવાદી બનાવવાનું કામ કરતો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code