1. Home
  2. ગુજરાતી
  3. તહેવારો પર મોંધવારીનો માર,દિલ્હી-એનસીઆરમાં સીએનજી-પીએનજીના ભાવમાં વધારો
તહેવારો પર મોંધવારીનો માર,દિલ્હી-એનસીઆરમાં સીએનજી-પીએનજીના ભાવમાં વધારો

તહેવારો પર મોંધવારીનો માર,દિલ્હી-એનસીઆરમાં સીએનજી-પીએનજીના ભાવમાં વધારો

0
Social Share
  • તહેવારો પર મોંધવારીનો માર
  • CNG-PNG ના ભાવમાં વધારો
  • CNG 49.76 રૂ.પ્રતિ કિલોના ભાવે મળશે

દિલ્હી:આમ જનતા પર ફરી એક વાર મોંઘવારીનો માર પડ્યો છે. પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે દિલ્હી-એનસીઆરમાં સીએનજીના ભાવમાં પણ વધારો કર્યો છે. આ સાથે, રાંધણ ગેસ માટે ઉપયોગમાં લેવાતા પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) માં પણ વધારો થયો છે. બુધવારે સવારે 10 વાગ્યાથી દિલ્હીમાં સીએનજી 49.76 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ થશે.તો, આ રીતે PNG પણ દિલ્હીમાં 35.11 રૂપિયા પ્રતિ SCM મળશે.

દિલ્હીમાં સીએનજી 2.28 રૂપિયા પ્રતિ કિલો મોંઘું થયું છે, જ્યારે પીએનજી 2.10 રૂપિયા પ્રતિ એસસીએમ મોંઘુ થયું છે. દિલ્હીમાં સીએનજી હવે 47.48 રૂપિયા પ્રતિ કિલોના બદલે 49.76 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ થશે.

નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં તેની કિંમત 53.45 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 56.02 રૂપિયા થઈ ગઈ છે.ગુરુગ્રામમાં સીએનજી 58.50 રૂપિયામાં ઉપલબ્ધ થશે. રેવાડીમાં CNG ની કિંમત 58.90 રૂપિયા અને કરનાલ, કૈથલમાં 57.10 રૂપિયા છે. જયારે મુઝફ્ફરનગરમાં 63.28 રૂપિયામાં મળશે.

PNG ના રૂપમાં વપરાતો LPG પણ મોંઘો થયો છે. દિલ્હીમાં તેની કિંમત 33.01 SCM ને બદલે 35.11 રૂપિયા થઈ ગઈ છે. નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં તે 32.86 રૂપિયાના બદલે 34.86 રૂપિયા થઈ ગયા છે. તેવી જ રીતે, હવે તેની કિંમત ગુરુગ્રામમાં 33.31 ઘન મીટર અને રેવાડી અને કરનાલમાં 33.92 પ્રતિ ઘન મીટર થઈ ગઈ છે. મુઝફ્ફરનગર, મેરઠ અને શામલીમાં પણ કિંમતો વધી છે. હવે PNG અહીં 38.37 રૂપિયા મળશે.

આ સાથે ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે એક ટ્વીટમાં એમ પણ કહ્યું છે કે,IGL કનેક્ટ મોબાઇલ એપથી સેલ્ફ-બિલિંગ વિકલ્પનો ઉપયોગ કરીને ચૂકવણી કરનારાઓને PNG ની કિંમત પર 15 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

હકીકતમાં, આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ તેલ પછી, નેચરલ ગેસના ભાવ નવી ટોચ પર પહોંચી ગયા છે. તેથી જ સ્થાનિક બજારમાં ભાવ વધ્યા છે. સરકાર દર છ મહિને ગેસના ભાવની સમીક્ષા કરીને ભાવ નક્કી કરે છે.નેચરલ ગેસના ભાવમાં વધારા સાથે ખાતર કંપનીઓનો ખર્ચ પણ વધે છે. કારણ કે, આ કંપનીઓ ખાતર બનાવવા માટે નેચરલ ગેસનો ઉપયોગ કરે છે. જોકે, સરકાર આ માટે સબસિડી આપે છે, તેથી તેની કિંમતમાં વધારો થવાની ધારણા નથી.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code