શિયાળાની સવારે કરો તુલસીના ઉકાળાનું સેવન, પાચન સંબંઘિત બીમારીઓમાં મળશે રાહત
આયુર્વેદિકમાં તુલસી આદુ મરી જેવા તત્વોને ખૂબ જ ફાયદા કારક માનવામાં આવે છે આજે વાત કરીશું સવારે તુલસીનો ઉકાળો પીવાથી થતા લાભ વિશેતુલસીના પાણીને જો ખાલી પેટે પીવામાં આવે તો તેના અનેક ફાયદા છે.
એક ગ્લાસ પાણી ગરમ કરો ત્યાર બાદ તેમાં 10 થી 15 નંગ તુલસીના પાનને વાટીને એડ કરીદો હવે તેમાં 1 ચમચી આદુનો રસ મિક્સ કરીદો આ ઉકાળાનું સેવન જો દરરોજ સવારે કરવામાં આવે તો નીચે જણાવેલ તમામ સમસ્યાઓમાં રહાત થાય છે.
આ સાથે જ તુલસીનો ઉકાળો મેટાબોલિઝ્મ વધારવામાં મદદ કરે છે. આ કારણે તે ચરબી અને કાર્બોહાઈડ્રેટ બર્ન કરવામાં મદદ કરશે. બ્લડ શુગર લેવલને પણ જાળવી રાખે છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.
એટલું જ નહી આ ઉકાળો અપચો અને એસિડિટી જેવી પેટને લગતી સમસ્યામાં દરરોજ 2થી 3 પાંદડા ચાવવા જોઈએ. આ સિવાય તુલસીના પાન અને લીંબુના રસ સાથે નાળિયેરનું પાણી પીવાથી પેટના દુખાવાથી પણ રાહત મળે છે.