1. Home
  2. ગુજરાતી
  3. કોરોના રસીકરણઃ 75.14 કરોડ લોકોને પ્રથમ અને 37.2 કરોડ લોકોને રસીના બંને ડોઝ અપાયાં
કોરોના રસીકરણઃ 75.14 કરોડ લોકોને પ્રથમ અને 37.2 કરોડ લોકોને રસીના બંને ડોઝ અપાયાં

કોરોના રસીકરણઃ 75.14 કરોડ લોકોને પ્રથમ અને 37.2 કરોડ લોકોને રસીના બંને ડોઝ અપાયાં

0
Social Share

દિલ્હીઃ ભારતમાં કોરોનાને નાથવા માટે એક માત્ર રામબાદ ઈલાજ કોરોના રસીકરણ છે. જેથી ભારત સરકાર દ્વારા રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. દરમિયાન 24 કલાકમાં સમગ્ર દેશમાં 30 લાખથી વધારે લોકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવામાં આવ્યાં છે. દેશમાં અત્યાર સુધીમાં 75.14 કરોડ લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ જ્યારે 37.2 કરોડ લોકોને બંને રસીથી સુરક્ષિત કરવામાં આવ્યાં છે. આમ સમગ્ર દેશમાં 112.34 કરોડ રસી ડોઝ આપવામાં આવ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં કોરોનાના કેસમાં ફરીથી ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. જેથી વિવિધ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે. તેમજ રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 1.04 કરોડ હેલ્થ કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ જ્યારે 93.34 લાખ લોકોને રસીના બંને ડોઝ આપીને સુરક્ષિત કરવામાં આવ્યાં છે. આવી જ રીતે ફ્ન્ટલાઈન કોરોના વોરિયર્સની વાત કરીએ તો 1.84 કરોડને પ્રથમ અને 1.62 કરોડ કોરોના યોદ્ધાઓને રસીના બંને ડોઝ આપી દેવાયાં છે.

આવી જ રીતે 18થી 44 વર્ષના 43.26 કરોડ યુવાનોને પ્રથમ અને 17.05 કરોડને બંને ડોઝ આપવામાં આવ્યાં છે. 45થી 59 વર્ષના 17.83 કરોડ લોકોને પ્રથમ અને 10.49 કરોડ લોકોને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત 60 વર્ષથી વધુની ઉંમરના 11.17 કરોડ સિનિયર સિટિઝનોને પ્રથમ અને 7.11 કરોડ લોકોને કોરોનાની રસીના બંને ડોઝ અપાયાં છે. આમ દેશમાં 75.14 કરોડ લોકોએ કોરોના રસીનો પ્રથમ અને 37.2 કરોડ લોકોને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code