1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હીઃ પાકિસ્તાનમાં શિક્ષણ મેળવનાર ભારતીય વિદ્યાર્થીઓને નહીં મળે નોકરી
દિલ્હીઃ પાકિસ્તાનમાં શિક્ષણ મેળવનાર ભારતીય વિદ્યાર્થીઓને નહીં મળે નોકરી

દિલ્હીઃ પાકિસ્તાનમાં શિક્ષણ મેળવનાર ભારતીય વિદ્યાર્થીઓને નહીં મળે નોકરી

0
Social Share

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધોમાં ખટાશ આવી છે. દરમિયાન હવે પાકિસ્તાનની શૈક્ષણિક સંસ્થાઓ અને કોલેજમાંથી અભ્યાસ કરનારા ભારતીય વિદ્યાર્થીઓ અને ભારતીય મૂળના વિદેશી વિદ્યાર્થીઓને ભારતમાં નોકરી નહીં મળે, એટલું જ નહીં પાકિસ્તાનની શૈક્ષણિક સંસ્થાના પ્રમાણપત્રના આધારે ભારતમાં આગળ અભ્યાસ નહીં કરી શકે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ એટલે કે યુજીસી અને અખિલ ભારતી ટેકનીક શિક્ષણ પરિષદ એટલે કે એઆઈસીટીઈએ ભારતીય વિદ્યાર્થીઓને કહ્યું છે કે, તેઓ પાકિસ્તાનમાં કોઈ પણ કોલેજ કે શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ લેવાનું ટાળે, પાકિસ્તાનની કોઈ પણ સંસ્થામાંથી શિક્ષણ લેનારને દેશમાં નોકરી તથા અન્ય તેના આધારે કોઈ શિક્ષણ નહીં મેળવી શકે.

જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે,ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થીઓ પાકિસ્તાન ના જાય.પાકિસ્તાનની કોઈ પણ કોલેજ અને શૈક્ષણિક સંસ્થામાંથી કોઈ પણ ભારતીય નાગરિક અને ભારતીય મૂળનો વિદેશી વિદ્યાર્થી લેવા ઈચ્છતા હશે તેમણે આ પાકિસ્તાની પ્રમાણપત્રના આધાર ઉપર ભારતમાં નોકરી તથા ઉચ્ચ શિક્ષણ નહીં મળે.

યુજીસીએ કહ્યું કે, જે લોકો પાકિસ્તાનથી આવ્યાં છે તેમની ઉપર આ નિયમ લાગુ નહીં પાડે. પાકિસ્તાનથી આવેલા પ્રવાસીઓ અને તેમના બાળકો જેમને ભારત દ્વારા નાગરિકતા આપવામાં આવી છે તેઓ ગૃહ મંત્રાલયની મંજૂરી બાદ જ ભારતમાં નોકરી મેળવી શકશે. આ પહેલા યુજીસી અને એઆઈસીટીઈએ ભારતીય વિદ્યાર્થો માટે ચીનની શૈક્ષણિક સંસ્થાઓ સંદર્ભે આવી જ એડવાઈઝરી જાહેર કરી હતી. હવે પાકિસ્તાન માટે જાહેર કરવામાં આવી છે. દર વર્ષે મોટી સંખ્યામાં જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓ પાકિસ્તાનમાં એન્જીનીયરિંગ કોલેજમાં એડમીશન લે છે. અત્યાર સુધીમાં અનેક કાશ્મીરી વિદ્યાર્થીઓએ પાકિસ્તાનની ટેકનોલોજી કોલેજમાં એડમિશન લઈ ચુક્યાં છે.

(PHOTO-FILE)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code