1. Home
  2. ગુજરાતી
  3. બદલતી ઋતુમાં બીમારીઓથી બચવા આટલું કરો, થશે ફાયદો
બદલતી ઋતુમાં બીમારીઓથી બચવા આટલું કરો, થશે ફાયદો

બદલતી ઋતુમાં બીમારીઓથી બચવા આટલું કરો, થશે ફાયદો

0
Social Share

ઠંડી ખતમ થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન વધી રહ્યું છે અને ઉનાળાએ દસ્તક આપવાની શરૂઆત કરી દીધી છે. બદલતી ઋતુમાં બીમારીઓનો ખતરો ખૂબ વધારે રહે છે. ખાસ કરીને એ લોકોને જેમની ઈન્યૂનિટી કમજોર હોય છે. આવા લોકો માટે આયુર્વેદના ડોક્ટર સરદાર ડ્રિંક બતાવે છે. જેને પીવાથી મોટાપો અને થાઈરોડમાં રાહત મળે છે.

બદલતી સીઝનમાં આ બીમારીઓનો વધારે રહે છે ખતરો
એલર્જી, અમસ્થા અને સાઈનોસાઈટિસના દર્દીઓ માટે બદલતા હવામાન સમસ્યા લઈને આવે છે. આવા લોકોને વસંતઋતુમાં સાવધાની રાખવાની જરૂર હોય છે. નહીં તો લક્ષણો વધવાનો ડર રહે છે. તમે બદલાતી સિઝનમાં અસ્થમા, એલર્જી અને સાઇનુસાઇટિસની સમસ્યાને વધતા રોકવા માંગો હોવ તો આયુર્વેદિક ડૉક્ટરએ ઇન્સ્ટાગ્રામ પર એક અસરકારક ડ્રિંક બતાવ્યું છે. જે પીવાથી રાહત મળી શકે છે.

બદલાતી ઋતુમાં આ પીણુ પીવો
બદલાતી સીઝનમાં અસ્થમા, સાઇનસાઇટિસ અને એલર્જીની સમસ્યાથી બચવા માંગતા હોવ તો ડોક્ટરની સલાહ મુજબ આ ડ્રિંક એક મહિના સુધી પીવો. આ ડ્રિંક બનાવવા માટે બે લીટર પાણીમાં બે ચપટી સૂકા આદુનો પાવડર નાખીને ઉકાળો. આ ડ્રિંકને આખા દિવસ દરમિયાન થોડી વારે પીવો. આ શરીરમાં કફ દોષને દૂર કરવામાં મદદ કરે છે.

આયુર્વેદિક ડ્રિંક પીતા સમયે રાખો સાવધાની
એસીડીટીના દર્દીઓએ સૂકા આદુમાંથી બનાવેલું આ ડ્રિંક બિલકુલ ન પીવું જોઈએ. નહીંતર સમસ્યા વધી શકે છે. આ ડ્રિંક ઉનાળાની શરૂઆત પહેલા પીવું જોઈએ. ઉનાળો ચાલુ થયા પછી, આ પીણું પીવાનું પૂરીરીતે બંધ કરો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code