1. Home
  2. ગુજરાતી
  3. ગીર સોમનાથ જિલ્લામાં રેલવે પ્રોજેક્ટ માટે જમીન સંપાદન સામે ખેડુતોનો વિરોધ
ગીર સોમનાથ જિલ્લામાં રેલવે પ્રોજેક્ટ માટે જમીન સંપાદન સામે ખેડુતોનો વિરોધ

ગીર સોમનાથ જિલ્લામાં રેલવે પ્રોજેક્ટ માટે જમીન સંપાદન સામે ખેડુતોનો વિરોધ

0
Social Share

વેરાવળઃ  ગીર સોમનાથ જિલ્લામાં ઘણાબધા ઉદ્યોગો સ્થાપિત થયા છે. જેમાં ચાર મોટા ઉદ્યોગો પણ ધમધમી રહ્યા છે. ઉદ્યોગોના વિકાસ માટે રેલ પરિવહન જરૂરી છે. ત્યારે મોટા ઉદ્યોગો માટે રેલવે લાઈન પ્રોજેક્ટ સાકાર કરવા માટે કાચો ટ્રાફ્ટ તૈયાર કરાયો હતો જેમાં 2500 ખેડુતોની 1200 વિધા જમીન સંપાદન કરવી પડશે. જોકે ખેડુતો પોતાની ફળદ્રુપ જમીનો આપવા માગતા નથી. આથી  રેલવે પ્રોજેક્ટ અંતર્ગત પશ્ચિમ રેલવેના જીએમએ ખેડૂતો સાથે મિટિંગ યોજી હતી. 2500 ખેડૂતોની 1200 વિઘા જમીન આ લાઇન માટેના જમીન સંપાદન થવાની છે. ફળદ્રુપ જમીન અને બાગાયતના બગીચાઓ રેલવે લાઇનને કારણે ખેડૂતો પાસેથી છીનવાશે તેવો ભય છે. ખેડુતોએ એવી રજુઆત કરી હતી કે, તાલાલા મીટરગેજ રેલવે લાઇનને બ્રોડ ગેજ બનાવીને કોડીનાર સુધી લઈ જવામાં આવે તો ઓછામાં ઓછા ખર્ચે અને ખેડૂતોની જમીન અધિગ્રહણ કર્યા વગર સરકાર નો પ્રોજેકટ પર પડે તેમ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગીર સોમનાથ જિલ્લામાં ઉદ્યોગો માટેના રેલ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન માટે   દિવસે ને દિવસે વધતા જતા વિરોધના પગલે ખેડૂતો સાથે ચર્ચા કરવા વેસ્ટર્ન રેલ્વેના જી.એમ આલોક કંચન સોમનાથ પહોચ્યા હતા. ત્યારે જિલ્લાના 4 મહાકાય ખાનગી ઉદ્યોગ માટે સોમનાથ કોડીનાર નવી બ્રોડગેજ રેલ લાઈન બાબતે ખેડૂતોએ જી.એમ. સાથે મુલાકાત કરીને તેમને ખેતીને થનાર નુકશાન અને આ બ્રોડગેજ લાઇનના વિકલ્પ બાબતે સમજાવ્યા હતા. તાલાલા મીટરગેજ રેલવે લાઇનને બ્રોડ ગેજ બનાવીને કોડીનાર સુધી લઈ જવામાં આવે તો ઓછામાં ઓછા ખર્ચે અને ખેડૂતોની જમીન અધિગ્રહણ કર્યા વગર સરકારનો પ્રોજેકટ પર પડે તેમ છે. તેવી માહિતી ખેડૂતોએ રેલવેના ઉચ્ચ અધિકારીઓને આપી હતી. ત્યારે સરકાર આ બાબતે યોગ્ય વિચાર કરીને ખેડૂતોનું હિત ધ્યાને રાખીને નિર્ણય કરશે તેવું પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે જણાવ્યું હતું. સાથેજ સોમનાથ હરિદ્વાર ટ્રેઈન મુદ્દે ભવિષ્યમાં માળખાકીય સુવિધા વિકસાવીને ટ્રેઈન શરૂ કરવા માટે સરકાર વિચાર કરશે તેવી પણ માહિતી આપી હતી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં  ઉદ્યોગોને કેન્દ્રમાં રાખીને બનનારા  રેલવે પ્રોજેકટમાં 1200 વીઘા ખેતીની જમીનનો ભોગ લેવાશે તેવો ખેડૂતોને ડર છે જેમાં 2500 ખેડૂતોની સંપાદન માટે જમીન જશે એમાંના 600 ખેડુતો  પોતાની આખી જમીન સાથે સરકારી ચોપડે જમીનની ખાતેદારી ગુમાવે તેવી વિકટ પરિસ્થિતિ બની છે. ત્યારે ખેડૂતો એ”જાન દઈશું પણ જમીન નહી” ના સૂત્ર સાથે છેક સુધી લડી લેવા નિર્ધાર કર્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code