પાકિસ્તાનમાં ઈશ નિંદા કેસમાં સ્કૂલની મહિલા પ્રિન્સિપાલને મોતની સજા
દિલ્હીઃ પાકિસ્તાનમાં ઈશ નિંદા કરવાના આરોપસર એક મહિલાને મોતની સજા સંભલાવવામાં આવ છે. મહિલા ઉપર આરોપ હતો કે, તેણે વર્ષ 2013માં મહંમદ સાહેબને ઈસ્લામના પૈગ્મબર માનવાનો ઈન્કાર કર્યો હતો અને પોતાની જાતને પૈગ્મબર કહ્યું હતું. જે બાદ લાહોર પોલીસે તેની ઉપર ઈશ નિંદાનો કેસ દાખલ કર્યો હતો.
લાહોરની નિશ્તર કોલોનીમાં રહેતી મહિલા સલમા તનવીર એક ખાનગી સ્કૂલમાં પ્રિન્સિપાલ છે જિલ્લા અદાલતે સુનાવણીના અંતે મહિલાને મોતની સજાનો આદેશ કર્યો હતો. આ ઉપરાંત પાંચ હજાર રૂપિયાનો દંડ પણ કર્યો હતો. મહિલાના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે, મહિલા માનસિક રીતે બીમાર છે અને આવી વાતો કરે છે જો કે, મહિલાના મેડિકલ રિપોર્ટમાં તે સ્વથ્ય હોવાનું સામે આવ્યું હતું. જેથી અદાલતે મહિલાને મોતની સજાનો આદેશ કર્યો હતો.
પાકિસ્તાનમાં ઈશ નિંદા કાનૂન ઘણો વિવાદીત છે આ કાનૂન હેઠળ સજાની જોગવાઈ આકરી છે. વર્ષ 1987થી અત્યાર સુધીમાં 1472 લોકો ઉપર ઈશ નિંદાનો આરોપ લાગ્યો છે. આવા કેસમાં મોટાભાગના બનાવોમાં આરોપીઓનો કેસ લેતા પણ વકીલો ડરે છે.
(Photo-File)