1. Home
  2. ગુજરાતી
  3. વ્રતમાં પોતાને હેલ્ધી રાખવા માંગો છો તો ફોલો કરો આ ટિપ્સ
વ્રતમાં પોતાને હેલ્ધી રાખવા માંગો છો તો ફોલો કરો આ ટિપ્સ

વ્રતમાં પોતાને હેલ્ધી રાખવા માંગો છો તો ફોલો કરો આ ટિપ્સ

0
Social Share

નવરાત્રીના પવિત્ર તહેવાર પર દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે ભક્તો નવ દિવસ સુધી ઉપવાસ કરે છે.પરંતુ ઉપવાસ દરમિયાન તમારું શરીર નબળું પડી શકે છે.તેથી, ઉપવાસ દરમિયાન પોતાને સ્વસ્થ રાખવા માટે, તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જેથી નવરાત્રીના ઉપવાસ દરમિયાન તમારું શરીર સ્વસ્થ રહે. શારીરિક ઉર્જા જાળવી રાખવા માટે તમે આ સરળ ટિપ્સ ફોલો કરી શકો છો. તો ચાલો જાણીએ તેમના વિશે…

બદામ, અખરોટ, કિસમિસ, મગફળી વગેરે જેવા ડ્રાય ફ્રુટ્સ નિયમિતપણે ખાઓ.વધુમાં વધુ ફળો અને શાકભાજીનો સમાવેશ કરો.દૂધ અને દૂધની બનાવટો જેમ કે દૂધ, દહીં, પનીર, લસ્સી વગેરે ખાઓ.આમાંથી પ્રોટીનની પૂરતી માત્રા મળશે.

તમારા આહારમાં ફ્રુટ સ્મૂધી/શેક અથવા ફ્રુટ મિલ્કનો સમાવેશ કરો.ઉપવાસ દરમિયાન ઉચ્ચ કાર્બોહાઇડ્રેટ ખોરાકનો સમાવેશ કરો જેમ કે: બટેટા, શક્કરીયા , કેળા વગેરેને સામેલ કરો.જેથી શરીરને પૂરતી ઊર્જા મળે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code