1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હીના પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને સુપ્રીમ કોર્ટમાંથી શરતો સાથે વચગાળાના જામીન મળ્યા
દિલ્હીના પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને સુપ્રીમ કોર્ટમાંથી શરતો સાથે વચગાળાના જામીન મળ્યા

દિલ્હીના પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને સુપ્રીમ કોર્ટમાંથી શરતો સાથે વચગાળાના જામીન મળ્યા

0
Social Share

દિલ્હી : સુપ્રીમ કોર્ટે શુક્રવારે દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને 6 અઠવાડિયા માટે જામીન આપ્યા છે. મેડિકલના આધારે આ જામીન આપવામાં આવ્યા છે. 11 જુલાઈએ સુપ્રીમ કોર્ટ આ મામલે આગામી સુનાવણી હાથ ધરશે. સત્યેન્દ્ર જૈનને 10 જુલાઈના રોજ કોર્ટમાં હેલ્થ રિપોર્ટ જમા કરાવવા માટે કહેવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે જૈનને આ મામલે મીડિયા સાથે કોઈપણ રીતે વાતચીત કે સંપર્ક ન કરવા જણાવ્યું છે.

18 મેના રોજ SCએ EDને નોટિસ જારી કરીને આ મામલે જવાબ માંગ્યો હતો. જૈન 31 મે 2022 થી કસ્ટડીમાં છે. 6 એપ્રિલે, દિલ્હી હાઈકોર્ટ દ્વારા જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા પછી, તેણે SCમાં અપીલ કરી. ગુરુવારે 25 મે, AAP નેતા સત્યેન્દ્ર જૈન તિહાર જેલના વૉશરૂમમાં લપસીને પડી ગયા. સવારે તેમને દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બપોરે 12 વાગ્યાની આસપાસ તેમની તબિયત બગડ્યા પછી તેમને લોક નારાયણ જય પ્રકાશ હોસ્પિટલ (LNJP) માં ખસેડવામાં આવ્યા હતા અને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.

સુપ્રીમ કોર્ટે જૈનને પોતાની પસંદગીની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની સ્વતંત્રતા આપી છે. આ સાથે કોર્ટે જૈનને સારવાર સંબંધિત દસ્તાવેજો બતાવવા માટે કહ્યું છે. કોર્ટે કહ્યું કે જૈન બહાર રહીને કોઈ સાક્ષીને પ્રભાવિત કરશે નહીં. કોર્ટની પરવાનગી વિના તે દિલ્હીની બહાર નહીં જાય. જામીન દરમિયાન જે પણ સારવાર કરવામાં આવી રહી છે તેના દસ્તાવેજો કોર્ટ સમક્ષ રજૂ કરવાના રહેશે.

આ પહેલા 18 મેના રોજ સુપ્રીમ કોર્ટે EDને નોટિસ જારી કરીને તેનો જવાબ માંગ્યો હતો. જૈન 31 મે, 2022થી કસ્ટડીમાં હતા. 6 એપ્રિલે દિલ્હી હાઈકોર્ટ દ્વારા જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ તેણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code