1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ધંધુકા-બગોદરા રોડ ઉપર ગમખ્વાર અકસ્માતઃ ચાર વ્યક્તિઓના મોત
ધંધુકા-બગોદરા રોડ ઉપર ગમખ્વાર અકસ્માતઃ ચાર વ્યક્તિઓના મોત

ધંધુકા-બગોદરા રોડ ઉપર ગમખ્વાર અકસ્માતઃ ચાર વ્યક્તિઓના મોત

0
Social Share
  • કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત
  • પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
  • સ્થાનિકો મોટી સંખ્યામાં થયા એકત્ર

અમદાવાદઃ ધંધુકા-બગોદરા રોડ ઉપર રોડની સાઈડમાં ઉભેલી ટ્રકની પાછળ કાર ઘુસી જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર વ્યક્તિઓના મોત થયાં હતા. જ્યારે અન્ય ચાર વ્યક્તિઓને ગંભીર ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. અકસ્માતની ઘટના એટલી ભયાનક હતી કે તે જોઇને ત્યાં હાજર 108 એમ્બ્યુલન્સ સેવાના મેડીકલ સ્ટાફ સહીત અન્ય સ્થાનિક લોકોની કંપારી છૂટી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના ધંધુકા-બગોદરા રોડ પરથી સવારે મોટરકાર પૂરઝડપે પસાર થતી હતી. દરમિયાન હરિપુરા પાટિયા પાસે રોડની સાઈડમાં પર ઊભેલી ટ્રેક પાછળ કાર ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે એમાં કારનો ભૂક્કો થઈ ગયો હતો. કારમાં સવાર ચાર મહિલાનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. અન્ય ચાર જેટલી વ્યક્તિને ઈજા પહોંચી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ગમખ્વાર અકસ્માતની જાણ થતાં જ ધંધુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવા સહિતની કામગીરી શરૂ કરાવી હતી. પોલીસે મૃતકોની ઓળખ મેળવવાની કવાયત શરૂ કરી હતી. કાર ટ્રક સાથે અથડાતા તેમાં સવાર લોકોની મરણ ચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. અકસ્માતમાં ચાર વ્યક્તિના મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

ઉલ્લેખનીય છે કે ધંધુકા-બગોદરા રોડ પર જ તાજેતરમાં એક બસ પલટી ગઈ હતી. જેમાં 35થી વધારે મુસાફરોને ઈજા પહોંચી હતી. ખાનગી કંપનીની બસ સૌરાષ્ટ્ર તરફ જઈ રહી હતી ત્યારે ધંધુકા તાલુકાના ખડોળ ગામના પાટિયા પાસે પલટી મારી ગઈ હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code