કોરોનાની ત્રીજી લહેરને લઈને સારા સમાચારઃ યુપી અને બિહાર જેવા રાજ્યો કોરોનામાંથી મૂક્ત થવાની દિશામાંઃ અભ્યાસમાં કરાયો દાવો
- યુપી-બિહાર જેવા રાજ્યો કોરોના મૂક્ત થવાની દિશામાં
- એક આભ્યાસમાં કરાયો દાવો
દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને ચર્ચાએ વેગ પકડ્યો હતો ત્યારે હવે એક અભ્યાસમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે ઉત્તરપ્રદેશ અને બિહાર જેવા રાજ્યો કોરોનામાંથી મૂક્ત થવાની દિશામાં આગળ વધી રહ્યા છએ, જેથી કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓ ઘટતી જોવા મળી રહી થે એમ કહીએ તો કંઈ ખોટૂ ન કહેવાય.
ત્યારે હવે કોરોનાના વિનાશનો સામનો કરી રહેલા દેશવાસીઓ માટે રાહતના સમાચાર છે. પદ્મશ્રી, વરિષ્ઠ વૈજ્ઞાનિક, આઈઆઈટી કાનપુરના પ્રો. મનીન્દ્ર અગ્રવાલે હવે એવો દાવો કર્યો છે કે સંક્રમણના ત્રીજા તરંગની શક્યતા હવે નકારી શકાય છે.તેનું મુખ્ય કારણ મોટી સંખ્યામાં રસીકરણ હોવાનું જણાવાય રહ્યું છે.
મહામારીને લઈને નવો અભ્યાસ પ્રો. અગ્રવાલે મોડેલ પર આધારિત ગાણિતિક સૂત્ર પર બહાર પાડ્યો છે. તદનુસાર સંક્રમણ હવે સતત ઓછું ફેલાી રહ્યું છે,તે જ સમયે, યુપી, બિહાર, દિલ્હી જેવા રાજ્યો પણ કોરોનામાંથી મૂક્ત થવાની દિશામાં આગળ વધતા જોમા મી રહ્યા છે.
અભ્યાસ મુજબ, દેશમાં કોરોનાના સક્રિય કેસ ઓક્ટોબર સુધી 15 હજારની નજીક હશે. જેનું ખાસ કારણ એ છે કે સંક્રમિત લોકો તામિલનાડુ, તેલંગાણા, કેરળ, કર્ણાટક, આસામ, અરુણાચલ સહિત પૂર્વોત્તર રાજ્યોમાં આવતા રહેશે. મનીન્દ્ર અગ્રવાલ અભ્યાસ દ્વારા અહેવાલો બહાર પાડીને સરકારને સતત ચેતવણી આપી રહ્યા છે.
બીજી તરંગનો તેમનો દાવો મહદ અંશે સાચો સાબિત થયો હતો. તેમણે ઓક્ટોબર સુધીમાં પોતાનો નવો આગાહી રિપોર્ટ બહાર પાડ્યો, દાવો કર્યો કે ત્રીજા તરંગની શક્યતા લગભગ શૂન્ય છે. રિપોર્ટ અનુસાર, ઓક્ટોબર સુધીમાં ઉત્તરપ્રદેશ, બિહાર, દિલ્હી, મધ્યપ્રદેશમાં કોરોનાના સક્રિય કેસના આંકડા હવે હજારો લાખોમાંથી એકમ સુધી પહોંચી જશે.
પ્રો. અગ્રવાલના મત પ્રમાણે લોકડાઉન અને રસીકરણનો ઘણો ફાયદો થતો જોવા મળ્યો હોય તેમ લાગે છે. બીજી તરંગ પછી, મોટાભાગના લોકોમાં હર્ડ ઈમ્યૂનિટી વિકસી છે. તે જ સમયે, ઝડપથી ચાલતી રસી અભિયાનની અસર મહામારીને રોકવામાં પણ ફાયદાકારક પ્રભાવિત રહેશે.