1. Home
  2. ગુજરાતી
  3. મધથી નખ થશે મજબૂત,નહીં પડે Manicure ની જરૂર
મધથી નખ થશે મજબૂત,નહીં પડે Manicure ની જરૂર

મધથી નખ થશે મજબૂત,નહીં પડે Manicure ની જરૂર

0
Social Share

સારા વ્યક્તિત્વ માટે માત્ર સુંદર ચહેરો જ નહીં પરંતુ હાથ પણ તમારી સુંદરતામાં વધારો કરે છે.હાથ તમારા વ્યક્તિત્વને વધુ નિખારે છે. પરંતુ હાથની સુંદરતા તમારા નખ પર પણ આધાર રાખે છે.નખ નબળા પડી જાય છે અને તૂટી જાય છે. જેના માટે મહિલાઓ મેનીક્યોર પણ કરાવે છે.પરંતુ મેનીક્યોરને બદલે, તમે કેટલાક ઘરેલું ઉપચારનો ઉપયોગ કરીને પણ નખને મજબૂત બનાવી શકો છો.તો ચાલો તમને જણાવીએ આવા જ ઘરેલું નુસખા….

મધથી નખ મજબૂત થશે

મધનો ઉપયોગ કરીને નખને મજબૂત કરી શકાય છે.મધમાં મળતા પોષક તત્વો ક્ષતિગ્રસ્ત ક્યુટિકલ્સને મજબૂત અને પોષવામાં મદદ કરે છે.જો તમે નખ પર મેનીક્યોરનો ઉપયોગ નથી કરવા માંગતા તો મધનો ઉપયોગ કરી શકો છો.મધથી તમે નખની સુંદરતા વધારી શકો છો.

શા માટે નખ તૂટી જાય છે?

નખની આસપાસની ત્વચા ખૂબ જ નરમ હોય છે. જો આનું ધ્યાન રાખવામાં ન આવે તો નખ તૂટવા લાગે છે અને દુખાવો થવા લાગે છે. કેટલીકવાર નખ ફાટવાનું કારણ ત્વચાને યોગ્ય રીતે મોઈશ્ચરાઈઝ ન કરવું પણ હોઈ શકે છે.

એન્ટી ફંગલ ગુણોથી ભરપૂર

મધમાં એન્ટી-ફંગલ ગુણ જોવા મળે છે, તે નખની સમસ્યાથી રાહત અપાવવામાં મદદ કરે છે. તમારા હાથ પર મધના થોડા ટીપાં મૂકો.રાત્રે તેમને નખ પર છોડી દો અને તમારા હાથ પર ગલ્વ્ઝ મૂકી દો.તેનાથી તમારા નખ તૂટશે નહીં.રાત્રે નખ પર મધ લગાવવાથી થોડા દિવસોમાં તમને તેની અસર પણ જોવા મળશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code