1. Home
  2. ગુજરાતી
  3. હાથની કોણી કે પગની કોણી અથવા ઘૂંટણમાં સતત દુખાવો થાય છે, તો જોઈલો આ ઘેરલું ઉપચાર મળશે દુખાવામાં રાહત
હાથની કોણી કે પગની કોણી અથવા ઘૂંટણમાં સતત દુખાવો થાય છે, તો જોઈલો આ ઘેરલું ઉપચાર મળશે દુખાવામાં રાહત

હાથની કોણી કે પગની કોણી અથવા ઘૂંટણમાં સતત દુખાવો થાય છે, તો જોઈલો આ ઘેરલું ઉપચાર મળશે દુખાવામાં રાહત

0
Social Share

ઠંડીની મોસમ આવતાની સાથે જ ઘણાના હાથ પગના સાંઘા દુખતા હોય છે. આવી સ્નીથિતિમાં શરીર પણ દુખતુ હોય છે,ખાસ કરીને જે લોકોના શરીરમાં વા ની સમસ્યા હોય છે તેમને પણ સાંઘાના દુખાવાની ફરીયાદ રહે છે, જો કે કેટલાક ઘરેલું નુસ્ખાો એવા પમ છે જે તમને તમારી આ સમસ્યામાંથી છૂટકારો આપવાની શકે છે.

જાણો આ ઘરેલું નુસ્ખાઓ

  • સાંધામાં દુ:ખાવો અને સોજો આવવાની સમસ્યા આજે દરેક લોકોને થતી હોય છે. જો ચોક્કસ પ્રમાણમાં ન્યુટ્રીએન્સ લેવામાં આવે તો સાંધાના દુ:ખાવાને વધતો રોકી શકાય છે.
  • દરરોજ સવારે એક નાની ચમચી તજનો પાવડર ગરમ પાણી સાથે પીવાથી પણ સાંધાના દુખાવા માંથી છુટકારો મળી જશે.
  • લીમડાના તેલથી મસાજ કરવાથી પણ સાંધાના દુ:ખાવામાં રાહત મળશે.
  • મીઠું ગરમ કરી તને કોટનના કપડામાં બાંઘીને તેનો શેક કરવાથી દુખાવામાં રાહત થાય છે,
  • ગરમ પાણીને રબરની બેગમાં ભરીને આ બેગથી શેક કરવાથી પણ દુખાવામાં  રાહત થાય છે.
  • રાઈના તેલ સાથે ડુંગળી નો રસ મિક્સ કરીને માલિશ કરવાથી પણ સાંધાના દુઃખાવામાંથી રાહત મળે છે.
  • સંધિવામાં આવેલા સોજા પર અજમાનું તેલ લગાવવાથી રાહત મળે છે, લવિંગનું તેલ ઘસવાથી પણ સંધિવા નો દુખાવો દૂર થાય છે.
  • ઓલિવ ઓઈલ વડે સાંધા પર મસાજ કરવાથી દુખાવામાં રાહત મળશે
  • આદુના રસમાં મીઠું મિક્સ કરી ને દુખાવો થતો હોય તે જગ્યા પર માલિશ કરવાથી રાહત મળશે.
  • સૂંઠનો ઉકાળો બનાવીને પીવાથી પણ સાંધાના દુઃખાવામાંથી રાહત મળે છે.
  • દરરોજ દરિયાના પાણીમાં સ્નાન કરવાથી સંધિવાનો દર્દીને રાહત મળે છે.
  • તલના તેલમાં હિંગ અને સૂંઠ નાખી ને તેને ગરમ કરીને ત્યારબાદ તેના વડે માલિશ કરવાથી પણ કમરનો દુખાવો, સાંધાનો દુખાવો, શરીર જકડાઈ જવું, લકવો વગેરેમાં રાહત મળશે.
tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code