1. Home
  2. ગુજરાતી
  3. પોતાનું માન-સન્માન જાળવી રાખવું હોય તો,બાળકોને આ વસ્તુ જરૂરથી શીખવજો
પોતાનું માન-સન્માન જાળવી રાખવું હોય તો,બાળકોને આ વસ્તુ જરૂરથી શીખવજો

પોતાનું માન-સન્માન જાળવી રાખવું હોય તો,બાળકોને આ વસ્તુ જરૂરથી શીખવજો

0
Social Share

બાળકોનું જે વર્તન હોય છે તે પોતાનું હોતું નથી પરંતુ બાળકોનું વર્તન તે માતા પિતાની કેળવણી દર્શાવે છે. જ્યારે બાળક બધાની વચ્ચે સારુ વર્તન કરે ત્યારે લોકો બાળકના માતાપિતાને તેનો શ્રેય આપે છે પરંતુ જ્યારે ખોટુ વર્તન કરે છે ત્યારે પણ શ્રેય માતા પિતાને જ આપે છે. આવા સમયમાં દરેક માતાપિતાએ સમજવું જોઈએ કે બાળકોને બાળપણથી જ સારા સંસ્કાર આપવા જોઈએ.

સૌથી પહેલા તો બાળકોને વડીલોનો આદર કરતા શીખવો. ભલે તે તેના માટે થોડું મુશ્કેલ હોય, પરંતુ તે શીખવવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેને શીખવવું પડશે કે તેણે તેના વડીલોનું સન્માન કરવું જોઈએ. કેટલીકવાર બાળકો અજાણતા જ બીજાના માનને ઠેસ પહોંચાડે છે, જે તમારા માટે તમારુ નાક કાપવાનું કારણ બની શકે છે.

બાળકો વસ્તુઓને જોઈને અને સમજીને ખૂબ જ ઝડપથી શીખે છે. એટલા માટે તમે તેની સામે જે વર્તન અપનાવો છો, તે જ વર્તન તે બીજાની સામે અપનાવે છે. તમારે તમારામાં સીધો બદલાવ લાવવો પડશે. જો તમને વાત વાત પર ચીસો પાડવાની કે ગુસ્સે થવાની આદત હોય તો બાળક પર પણ તેની ખરાબ અસર પડે છે. જો તે તમને બીજા સારુ વર્તન કરતા જોશે તો તે પણ સારુ વર્તન કરતા શીખશે.

બાળકોને શીખવો કે જ્યારે કોઈ વ્યક્તિને તમે મળો ત્યારે કઈ રીતે અભિવાદન કરવું. હેલો, નમસ્કાર, શુભ સવાર અને વડીલોને પગે લાગવુ વગેરે. તેના કારણે લોકો વચ્ચે તેની ઓળખ સારા અને સંસ્કારી બાળક તરીકે થશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code