1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરા APMCની ચૂંટણીમાં ભાજપના 12 ઉમેદવારો બિનહરીફ, 17મીએ ચૂંટણી યોજાશે
વડોદરા APMCની ચૂંટણીમાં ભાજપના 12 ઉમેદવારો બિનહરીફ, 17મીએ ચૂંટણી યોજાશે

વડોદરા APMCની ચૂંટણીમાં ભાજપના 12 ઉમેદવારો બિનહરીફ, 17મીએ ચૂંટણી યોજાશે

0
Social Share

વડોદરા : વડોદરા APMCની ચૂંટણી આગામી 17 સપ્ટેમ્બરે યોજાશે.  જો કે વડોદરા APMCની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ના 12 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. શૈલેષ પટેલના સમર્થન સાથે ખેડૂત વિભાગમાં સૌથી વધુ 10 ઉમેદવારો બિનહરીફ થયા છે.

રાજ્યમાં સહકારી ક્ષેત્રની ચૂંટણીઓમાં પણ પક્ષનો મેન્ડેટ આપવાની પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ  દ્વારા જાહેરાત કરવામાં આવી ત્યાર પછીની કદાચ આ પહેલી સહકારી ચૂંટણી વડોદરા APMCની જાહેર થઇ છે. સહકારી ક્ષેત્રની આ ચૂંટણીમાં સૌ પ્રથમ વખત ભાજપ દ્વારા 12 ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા અને આ તમામ 12 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.

સહકારી ક્ષેત્રની ચૂંટણીઓ આમ તો પક્ષ ના ચિન્હ ઉપર નહીં પરંતુ પક્ષ પ્રેરીત કહીને લડાતી હોય છે. વિવિધ નામો વાળી પેનલના બેનર તળે લડાતી આવી ચૂંટણીઓના ઉમેદવારો અલગ અલગ રાજકીય પક્ષો સાથે સંકળાયેલા હોય છે. એક જ પક્ષના ઉમેદવારો અથવા તો બે પેનલો સામસામે હોય છે, જેના કારણે એક જ પક્ષના લોકો વચ્ચે વિવાદના બીજ રોપાયા હોય છે. આ વિવાદને જડમૂળથી ઉખાડી દેવાના ઉદ્દેશ સાથે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સહકારી ક્ષેત્રની ચૂંટણીઓમાં પણ મેન્ડેટ આપવાની જાહેરાત કરી  હતી.વડોદરા APMCની ચૂંટણીમાં પક્ષને પણ ફાયદો  થયો છે. ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે ભાજપના 12 ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં જ વડોદરા APMCમાં ભાજપનો ભગવો લહેરાવવા જઈ રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આગામી 17 મી સપ્ટેમ્બરે યોજાનારી વડોદરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી માટે ખેડૂત વિભાગમાં કુલ 21 ફોર્મ ભરાયા હતા,વેપાર વિભાગની 4 બેઠક માટે 12 ફોર્મ ભરાયા હતા,ખરીદ વેચાણ વિભાગની બે બેઠકો માટે 4 ફોર્મ ભરાયા હતા જે પૈકી આજે કુલ 13 ઉમેદવારી પત્રો પાછા ખેંચાયા,હવે વેપારી વિભાગની 4 બેઠકો માટે મતદાન યોજાશે અને ચૂંટણી પૂર્વે આ વિભાગ પણ સીધી રીતે અંકે કરી લેવાના ભૂગર્ભ પ્રયાસો શરૂ છે.

વડોદરા APMCની ચૂંટણી માટે ખેડૂત વિભાગમાં કુલ 21 ફોર્મ ભરાયા હતા જેમાં 11 પરત ખેંચાયા છે અને 10 બિનહરી જાહેર કરવામાં આવ્યા છે.વેપાર વિભાગની 4 બેઠક માટે 12 ફોર્મ ભરાયા હતા અને 7 પરત ખેંચાયા છે, જ્યારે 5 ઉમેદવાર મેદાનમાં હોવાથી આ વિભાગ માટે ચૂંટણી થશે. ખરીદ વેચાણ વિભાગની બે બેઠકો માટે 4 ફોર્મ ભરાયા હતા 2 પરત ખેંચતા 2 બિનહરીફ જાહેર કરવામાં આવ્યાં છે. દરમિયાન જિલ્લા રજિસ્ટ્રાર અને ચૂંટણી અધિકારી બી.બી.ભભોરે જણાવ્યું હતું કે 17 સપ્ટેમ્બરે વેપાર વિભાગની 4 બેઠક માટે 5 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે.17મી સપ્ટેમ્બરે સવારે 9 થી 5 સુધી મતદાન થશે અને 18મી સપ્ટેમ્બરે મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામ જાહેર થશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code