1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઉનાળાના વેકેશનને લીધે ST બસના ટ્રાફિકમાં વધારો, 11 દિવસમાં નિગમને 90.20 કરોડની આવક થઈ
ઉનાળાના વેકેશનને લીધે ST બસના ટ્રાફિકમાં વધારો, 11 દિવસમાં નિગમને 90.20 કરોડની આવક થઈ

ઉનાળાના વેકેશનને લીધે ST બસના ટ્રાફિકમાં વધારો, 11 દિવસમાં નિગમને 90.20 કરોડની આવક થઈ

0
Social Share

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલ અને સીએનજીના ભાવ વધારોને કારણે ઘણાબધા લોકોએ પોતાના વાહનોને છોડીને એસટી બસમાં મુસાફરી કરવા લાગ્યા છે. સાથે જ ઉનાળાનું વેકેશન હોવાથી એસટી બસોના ટ્રાફિકમાં મોટો વધારો થયો છે. ગુજરાત ST નિગમને માત્ર 11 દિવસમાં 90.20 કરોડની આવક થઈ છે. 11 દિવસમાં 1.90 કરોડથી વધુ લોકોએ મુસાફરી કરી હતી.

રાજ્યમાં ઉનાળું વેકેશન ઉપરાંત લગ્નગાળાની સીઝન પણ પૂર બહારમાં ખીલી છે. અસહ્ય ગરમી હોવા છતાં મોટી સંખ્યામાં લોકો બહાર ફરવા નીકળી ગયા છે. તેમજ લગ્નગાળામાં લોકો ખાનગી બસ કે વાહનને બદલે એસટી બસમાં મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે. જેને પગલે ગુજરાત ST નિગમને માત્ર 11 દિવસમાં 90.20 કરોડની આવક થઈ છે. 11 દિવસમાં 1.90 કરોડથી વધુ લોકોએ મુસાફરી કરી હતી. રાજ્યભરમાં ST નિગમના કુલ 16 ડિવિઝનોના જુદા-જુદા ડેપો આવેલા છે. આ તમામ ડેપો ઉપરથી છેલ્લા કેટલાક દિવસથી મોટાભાગના રૂટોની બસો ચિક્કાર દોડી રહી છે. જેના કારણે ST નિગમને દૈનિક કરોડો રૂપિયાની આવક થઇ રહી છે. ખાસ કરીને છેલ્લા 11 દિવસ દરમિયાન લગ્નગાળો અને વેકેશનની સીઝનના કારણે 9મેથી 19 મે સુધીમાં ST નિગમને રૂ. 90.20 કરોડની તોતિંગ આવક થઈ હતી.

ગુજરાત એસટી નિગમના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્યમાં લગ્નગાળો અને વેકેશનના કારણે ટ્રાફિકમાં વધારો થતાં ST નિગમને દૈનિક રૂ.7 કરોડ આસપાસ આવક થઇ રહી છે. છેલ્લા 11 દિવસ દરમિયાન ST તંત્રની બસોમાં 1.92 કરોડથી વધુ મુસાફરોએ મુસાફરી કરી છે અને દૈનિક રાજ્યની બસોમાં 18 લાખથી વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. છેલ્લા 11 દિવસ દરમિયાન ST નિગમની આવકમાં દૈનિક એક કરોડ જેટલો ખાસ્સો વધારો થયો છે. તેમજ રોજના ટ્રાફિકમાં પણ 20 ટકાથી વધુનો વધારો થયો છે.

સૂત્રઓએ વધુમાં જણાવ્યું હતું કે, તા. 16 મેના રોજ રાજ્યની એસટી બસોમાં 18.26 લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી. જે છેલ્લા 11 દિવસમાં સૌથી વધુ છે. 16મેના રોજ ST નિગમને રૂ.8.94 કરોડથી વધુની આવક પણ થઇ હતી. આ જ રીતે 17મેના રોજ 17.87 લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી અને ST નિગમને રૂ. 8.32 કરોડથી વધુની આવક થઈ હતી. છેલ્લા 11 દિવસ દરમિયાન ST નિગમે 3.36 લાખથી વધુ ટ્રીપોનું સંચાલન પણ કર્યું હતું. હજુ પણ ચાલુ આખો મહિનો ST બસોમાં ચિક્કાર ટ્રાફિક રહેશે અને વેકેશન તથા લગ્નગાળાની અસર વર્તાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કાળઝાળ ઉનાળો હોવા છતાં એસટી બસોમાં સતત મુસાફરોની સંખ્યા સતત વધી રહી છે. બીજી તરફ ખાનગી બસોમાં જોઇએ એવો ટ્રાફિક નજરે પડતો નથી. આ અંગે ST વિભાગના વર્તુળોમાંથી મળતી વિગતો મુજબ ખાસ કરીને ખાનગી બસ સંચાલકો દ્વારા છેલ્લા કેટલાક સમયથી ટૂંકા અને લાંબા અંતરની બસોમાં 2થી 3 ગણો ભાડાવધારો કરી દીધો છે. જેના કારણે લોકો ખાનગી બસોમાં બને ત્યાં સુધી બેસવાનું ટાળી રહ્યા છે. ST નિગમ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં વારંવાર તોતિંગ વધારો કરાયો છતાં હજુ સુધી ભાડામાં વધારો કર્યો નથી. જેના કારણે લોકો સતત ST બસોમાં મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code