1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. કિચન ટિપ્સઃ છાસ વધારે  હોય અથવા તો વધુ ખાટ્ટી થઈ ગઈ હોય તો તેને ફેંકતા પહેલા વાંચીલો તેના કેટલાક ઉપયોગ
કિચન ટિપ્સઃ છાસ વધારે  હોય અથવા તો વધુ ખાટ્ટી થઈ ગઈ હોય તો તેને ફેંકતા પહેલા વાંચીલો તેના કેટલાક ઉપયોગ

કિચન ટિપ્સઃ છાસ વધારે  હોય અથવા તો વધુ ખાટ્ટી થઈ ગઈ હોય તો તેને ફેંકતા પહેલા વાંચીલો તેના કેટલાક ઉપયોગ

0
Social Share

સાહિન મુલતાનીઃ-

  • છાસમાં કાળી માટી પલાળી વાળમાં લગાવાથી વાળ ખરતા નછી
  • કાળી માટી છાસમાં પલાળીને ચહેરા પર લગાવાથી ઠંડક મળે છે
  •  ફુલછોડના કુંડામાં છાસ નાખવાથી તે ખાતરનું કામ કરે છે.

બપોરના ભોજનામાં અનેક ધરોમાં છાસ પીવાની ટેવ હોય છે,છાસ પાચન શક્તિ મજબૂત બનાવે છે, જેથી ગુજરાતમાં પણ મોટો ભાગે છાસ વગરનું ભોજન અઘુરુ ગણવામાં આવે છે અને તેમાં પણ કાઠીયાવાડી ભઓજનની શાન એટલે જ છાસ, ઘણી વખત છાસ આપણે લાવીએ છીએ અને ખાટ્ટી નીકળે છે, અથવા તો છાસનો જ્યારે વપરાશ ન થયો હોય ત્યારે છાસ ફ્રિજમાં રહી રહીને ખાટ્ટી થઈ જતી હોય છે છવટે છાસ ફેંકી દેતા હોય છે, પણ શું તમે જાણો છો આ ખાટ્ટી છાસનો કેટલીક જગ્યાએ ઉપયોગ કરીને આપણે તેનો લાભ લઈ શકીએ છીએ,

જો છાસ વધુ પડતી ખાટ્ટી થી ગઈ હોય કે વાસી થઈ ગઈ હોય અથવા તો છાસ વધી પડી હોય તો તેને ક્યારેય ફેંકવી જોઈએ નહી ,કારણ કે આ પ્રકારની છાસ તમારી સુંદરતા અને તમારા ઘરની સુંદરતા બન્ને વધારવામાં મહત્વ ધરાવે છે, તો, ચાલો જાણીએ કઈ રીતે તેનો ઉપયોગ કરી શકાય

જાણો છાસના ઉપયોગ

  • જો છાસ વધારે પડતી ખાટ્ટી થઈ ગઈ હોય અને પીવા લાયક ન હોય તો આ પ્રકારની છાસને તમે ફૂલ છોળના કુંડામાં નાખી શકો છો, જે એક ખાતરનું કામ કરે છે,તેનાથી ફૂલછોળને ફાયદો થાય છે.
  • છાસમાં કાળઈ માટીને પલાળીને 2 થી 3 કલાક રાખી દો ત્યાર બાદ આ છાસ માટીમે ચહેરા પર લાગવી ફsશ પેકની જેમ ઉપયોગ કરશો તો તમારા ચહેરા પરથી ગરમી દૂર થાય છે.
  • છાસમાં કાળી માટીને પલાળીને તે માટી માથામાં લગાવવાથી માથામાં ઠંડક થાય છે. અને વાળમાંથી ખોળો પણ દૂર થાય છે સાથે વાળ ખરતા અટકે છે.
  • વાળમાં છાસ લગાવીને 10 મિનિટ રહેવા દો અને ત્યાર બાદ હુંફાળા પાણીથી વાળ ઘોઈલો.જેનાથી વાળમાં ખોળઓ થતો નથી અને ડેન્ડ્રફ થયો હશે તો તે દૂર થશે.
    વાળમાં ખંજવાળ આવતી હોય ત્યારે મેહેંદી છાસમાં પલાળીને વાળમાં લગાવવાથી ખંજવાર દૂર થાય છે.
  • ખાટ્ટી છાસમાંથી તમે પાટૂળી અટલે કે ખાંડવી વધુ સ્વાદિષ્ટ બનાવી શકો છો.ખાટ્ટી છાસની ખાંડવી ખૂબજ સ્વાદિષ્ય લાગે છે.
  • છાસમાં બેસન પલાળીને રુવાટી વાળી જગ્યાએ લગાવી 10 મિનિટ રહેવા દો ત્યાર બાદ હાથ વડે મસાજ કરીલો તેનાથી રુવાંટી દૂર થાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code